________________
ભાગ-૨
સત
૧ ૩૨
રામ-લહમણો
આવી ઊર્મિઓના પ્રતાપે એવા આત્માઓ માટે કઠીન એવો પણ સંસારનો ત્યાગ સહેલો અને એમાં આશ્ચર્ય જેવું શું છે ? પૂર્વની આરાધના, સુકુળના સંસ્કારો અને હિતેષી માતા-પિતાદિની હિતકર પ્રેરણા આદિના પ્રતાપે બાળકો, જેમ સંસારના પ્રેમથી રહિત બની સંયમના રંગથી રંગાઈને સાધુ ધર્મને બાલ્યકાળમાં જ પામી શકે છે. તેમ પરમ સુશ્રાવકો સંસારની જાળમાં ફસાએલા હોવા છતાં પણ અહર્નિશ અંતઃકરણમાં ઉડ્યા કરતા ઉત્તમ-ઉત્તમ મનોરથો તથા ઉમિઓના પ્રતાપે એકદમ શ્રમણ ધર્મને પામી શકે છે. - આ હેતુથી સોદાસ મહારાજા, પૂર્વે ગમે તેવા ખરાબ વ્યસની હોવા છતાં પણ કુલીનતા અને લઘુકમિતાના પ્રતાપે સદ્ગુરુના યોગે
પરમશ્રાવકપણું પામ્યા પછી અલ્પ સમયમાં જ પ્રભુપ્રણીત 3 શ્રમણધર્મના પુનિત પંથે વિહરવાને સજ્જ થાય એમાં કશું જ આશ્ચર્ય નથી.
પ્રભુશાસનમાં એવો કાયદો છે જ નહિ કે કાલનો પાપી આજે ધર્માત્મા ન થઈ શકે. પ્રભુશાસનમાં તો ગમે તેવો પાપાત્મા પણ પુણ્યોદયે સદ્ગુરુનો યોગ પામીને તે જો પાપભીરુ બને તો ધર્મનો અધિકારી બની શકે છે અને પાપભીરુ બન્યા પછી જો પાપનો ત્યાગ કરવા અને પ્રભુપ્રણીત ધર્મનો સ્વીકાર કરવા માટે ઉત્સાહિત થાય તો પોતાની ઘોર પાપ પ્રવૃત્તિનો પરિત્યાગ કરી ખુશીની સાથે પ્રભુપ્રણીત ધર્મનો સ્વીકાર કરવા દ્વારા પરમ ધર્માત્મા એટલે સુશ્રાવક અને સુસાધુ બની શકે છે એનું જ પરિણામ છે કે ઘોર પાપાત્માઓ પણ સદ્ગુરુના યોગે પરમ ધર્માત્મા બનીને સામાન્ય જીવોને આશ્ચર્ય ઉત્પન્ન થાય તેવી રીતે અલ્પકાળમાં પરમપદના ભોક્તા બની શક્યા છે. શ્રી સુકોશલ મહારાજાના વંશજો પણ પ્રભુપ્રણીત
શ્રમણધર્મના પુનિત પંથે શ્રી સુકોશલ મહારાજાના પુત્ર શ્રી હિરણ્યગર્ભ, શ્રી હિરણ્યગર્ભના પુત્ર શ્રી નઘુષ અને શ્રી નઘુષના પુત્ર શ્રી સોદાસે જેમ ઉં પ્રભુપ્રણીત શ્રમણધર્મના પંથે વિહરીને પોતાનું કલ્યાણ સાધી ગયા
તેમ શ્રી સોદાસના પુત્ર શ્રી સિંહરથ અને