________________
છે કે ચક્રવર્તીતા એ આત્માને સંસારમાં રુલાવનાર છે. ત્યારે ધર્મ એ છે સંસારના બંધનથી છોડાવીને મુક્તિને આપનાર છે. માટે મને તો ત્રણ છે ચક્રવર્તીપણાને ભોગે પણ એક શ્રી જિનેશ્વરદેવનો ધર્મ જ યાવત્ ૨ મારા આત્માની મુક્તિ ન થાય ત્યાં સુધી મળો, એ સિવાય મારે પોતાને કશું જ ન જોઈએ.
શ્રાવક આવા પ્રકારની ભાવનામાં જ રક્ત રહે. આવા - પ્રકારની ભાવનાના યોગે એ આત્માના અંત:કરણમાં અહર્નિશ એવા જ મનોરથોની ઊર્મિઓ ઊડ્યા કરે છે કે,
त्यक्तसंगो जीर्णवासा, मलक्लिन्नकलेवरः । भजन माधुकरी वृत्ति, मुनिचर्या कहा श्रये ॥१॥ જયન્ ટુશનસંસ, ગુરુપદ્રવ: કૃશાનું ? कदाहं योगमभ्यस्यन्प्रभवेयं भवच्छिढे ॥२॥ महानिशायां प्रकृते, कायोत्सर्गे पुराढ्बहिः । स्तंभवत्स्कन्धकर्षणं, वृषाः कुर्युःकदा मयि ११३॥ વને પદ્માસનસન, ઇસ્થિતમૃardoન્ ? कदा प्रास्यन्ति वको मां, चरन्तो मृगयूथपाः ॥४॥ शत्रौ मित्रे तृणे स्त्रैणे, स्वर्णेऽश्मनि मणौ मृदि । मोक्षे भवे भविष्यामि, निर्विशेषमतिः कदा ॥७॥
ક્યારે એવો સમય આવે કે દુનિયાઘરીના સઘળાય સંસર્ગોનો ત્યાગ કરી, જીર્ણ વસ્ત્રોનું પરિધાન કરી, મલથી વ્યાપ્ત શરીરને ધરનારો થઈ અને ૧૩૧ માધુકરી વૃત્તિને ભજનારો હું મુનિચર્ચાનો આશ્રય કરું દુ:શીલ આત્માઓના સંસર્ગને ત્યાગ કરતો અને સદ્ગુરુઓની પાદરજને સ્પર્શ કરતો હું યોગનો અભ્યાસ કરીને વિષય કષાયરૂપ સંસારનો છેદ કરનારો થાઉં બળશે જેમ સ્તંભ સાથે પોતાના સ્કંધનું સંઘર્ષણ કરે છે, તેમ મહારાત્રિમાં નગરની બહાર કાર્યોત્સર્ગમાં રહેલા મારી સાથે પણ બળદો પોતાના સ્કંધનું સંઘર્ષણ કરે તે છતાં પણ સ્તંભની જેમ હું સ્થિર રહી શકું. વનમાં પદ્માસન લગાવીને બેઠેલા મારા ખોળામાં આવીને હરણીયાનાં બચ્ચાંઓ બેસે અને ચરતા મૃગયુથના પાલક હરણીયાઓ મને સૂંઘે તે છતાં પણ હું સમભાવમાં રહી શકું અને શત્રુ તથા મિત્ર ઉપર, તૃણ તથા સ્ત્રીઓના સમૂહ ઉપર, સુવર્ણ અને પત્થર ઉપર, મણિ અને માટી ઉપર તથા ભવ અને મોક્ષ ઉપર સમાન મતિવાળો હું થાઉં.
શ્રાવકના 3 મનનીય મનોરથ....૬