SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સુરસુંદરી ચરિત્ર વળી જે કે સમસ્ત શત્રુપક્ષને જીતનાર અને છે ખંડ પૃથ્વીના અધિપતિ એવા ભારત રાજા પણ કાલવશ થઈ ગયા. તેમજ પ્રચંડ પરાક્રમ વડે શત્રુઓને પરાજ્ય કરનાર અને જેમની રક્ષામાં હજારે સુભટ તૈયાર રહેતા એવા મહા પરાક્રમી સમયશ, આદિત્યયશ વિગેરે રાજાઓને અનિવાર્ય છે ગતિ જેની એવા પાપિષ્ટ યમરાજાએ નિર્દયપણું વાપરી કાલવશ પમાડ્યા, તે અન્ય લોકોની શી ગણતરી ? વળી જે ઉત્તમ દેવેનાં તેત્રીશ સાગરોપમ આયુષ્ય હોય છે, તેનું પણ ચ્યવન થાય છે, તે અન્ય પ્રાણએની જીવન આશા કેટલી? ભવનપતિ, વાનગૅતર, જતિષ્ક અને વિમાનવાસી દેવેનું પણ સ્થિર જીવન નથી, તે અન્ય મનુષ્યલોકેનું શું કહેવું ? હે રાજન! ત્રણ લોકોની અંદર સિદ્ધના મુક્ત સિવાય કોઈપણ જીવ એવો નથી કે, તે દુમતિવાળા મૃત્યુને વશ ન થયો હોય. | માટે હે દેવ! આ પ્રમાણે ત્રણે લોકને કાલકવલિત જાણીને દેવીનું મરણ થયે છતે વૃથા શેક કરવાથી શું જો કે, એનું એકલીનું જ મરણ થયું હોય તે આપણે શેક કરવો ઉચિત છે, પરંતુ મરણ તે સાધારણ
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy