SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ સુરસુંદરી ચરિત્ર લાગે, હે નરપતિ! હવે રૂદન કરવાથી શું વળે? મરેલાં મુડદાં સજીવન થાય ખરાં ! તૂટીની બુટ્ટી હેય જ નહીં, - હવે દેવીની દહનક્રિયા કરવી તેજ ઉચિત છે. તે સાંભળી રાજા બોલ્યા, હે મંત્રી ! બહારની આ ભૂમિએ ચંદનનાં કાષ્ઠ મોકલે, જેથી હું પણ દેવીની સાથેજ અગ્નિમાં પ્રવેશ કરીશ. મંત્રી બે, હે નરેશ્વર ! કાયર પુરૂષેએ આચરેલે આ મરણને અધ્યવસાય આપને શું ઉચિત છે ? ધીર ! ધર્યને ધારણ કરો, આવી રીતે આપને ગભરાવાનું કામ નથી. વળી હે નરેંદ્ર! આપ જે મરણ સુભટને શરણ થાઓ, તે આ સમગ્ર દેશ પણ શત્રુઓના હાથમાં જઈ પડે, તેમજ આ આપને સુપ્રતિષ્ઠ કુમાર પણ હજુ બાલક છે. વળી આપની હયાતીમાં દેવ, બ્રાહ્મણ અને તપસ્વિએ તેમજ પ્રાકૃતજનેની સર્વ ધર્મ ક્રિયાઓ અખલિતપણે સિદ્ધ થાય છે. એ આપણા રાજ્યમાં સ્વતઃ સિદ્ધ છે. આ નશ્વર સંસારની સ્થિતિ કેવી છે? તે આપ સારી રીતે જાણે છે; છતાં આપ જેવા ઉત્તમ પુરૂષોને માત્ર - સ્ત્રી માટે આવું અયોગ્ય આચરણ કરવું, તે સર્વથા અનુચિત ગણાય. વળી ઉપક્રમ એટલે આયુષ્યમાં વિદ્ધભૂત કારણ તેનાથી રહિત નિરૂપક્રમ શરીરધારી છતાં પણ તીર્થકર - ભગવાન આદિનાથનું જે કે મરણ થયું, તે અન્ય - મનુષ્યોની શી ગણના?
SR No.022741
Book TitleSursundari Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Swetambar Murtipujak Trust
Publication Year1986
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy