SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ પતિ મળ્યા છે. કેાઈ એક બીજી સ્ત્રી એલી કે, આ પુરૂષને ધન્ય છે, કારણ કે જેને આવું અદ્ભૂત સ્રી રત્ન મળ્યું છે. જો કે પુરૂષરૂપી રત્ના પણ આ પૃથ્વીમાં અસ`ખ્ય હોય છે તે પણ પુત્રરૂપ રત્નની ઉત્પત્તિની ખાણુ તે એક સ્ત્રી રત્નજ હાય છે; કારણ કે, તીથ કર ચક્રવર્તિ વિગેરે પુરુષ રત્ના શ્રી રત્નામાંથીજ પેદા થાય છે. માટે સ્રી રત્ન સ કરતાં અધિક છે. એવી રીતે અસ`ખ્ય સ્ત્રી જનાથી પ્રશ'સા કરાતા તથા જાણે રૂપાના કેમ અનાવેલા હાય તેવા અખ'ડિત શ્વેત અક્ષતા વડે સ્ત્રી જના પગલે પગલે પૂજા કરતા, કૃષ્ણ અને રૂકિમણી, સત્યભામાના પ્રાસાદની પાસેજ તત્ત્કાલ નવીન કરાવેલા, અગણિત ભૂષણવાળા પ્રાસાદમાં આવી રહ્યા. કૃષ્ણ મહારાજે સમાનરૂપવાળી અસ`ખ્ય સખીઓ તથા અસ`ખ્ય દાસીએ રૂકિમણીને અપણું કરી. દરરોજ નવીન નવીન આભૂષણા આપવા લાગ્યા. પેાતાના અનુજ ખંધુ કૃષ્ણની સવ ઇચ્છાઓને પૂર્ણ કરનાર બલદેવ, પેાતાને ઘેર જઈ પેાતાની સ્ત્રી રેવતીની સાથે સ્વેચ્છા પ્રમાણે ભાગ ભાગવતા સુખેથી રહ્યા. કૃષ્ણ, ભાજન કરવું, શયન કરવું, ઇત્યાદિક સર્વ રૂકિમણીના ઘરમાંજ કરે છે. તેણીએ કામણથી જાણે કેમ બાંધી લીધા હાય તેમ તેણીના પ્રેમ વચનાથી બંધાયેલા કૃષ્ણ લજજાને લીધે કાઈ દિવસ પણ સત્યભામાના ઘરમાં જતા નથી. એક દિવસે નારદમુનિ ફરતા ફરતા સત્યભામાને ત્યાં આવ્યા. દુઃખરૂપે સાગરમાં મગ્ન થયેલી સત્યભામાને જોઈ
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy