SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ મુનિ કહે છે કે હે રાજન? આ લગ્ન કરવાથી મને એમ જાણવામાં આવે છે કે તને અભિષ્ટ કાર્યની સિદ્ધિ સંશય ભરેલી છે, કારણ કે ત્યાં મહા સંગ્રામ થશે. આ વાત નિઃસંદેહ છે. માટે કહું છું કે કાં તો જા મા અને જે જા, તે યુદ્ધની સામગ્રીપૂર્વક જજે. આટલું કહી મુનિ ચાલતા થયા. નારદ વાણું સાંભળી શિશુપાળરાજા અતિ ચિંતાતુર થયે. પણ કાર્ય કરવામાં ઉત્સુક થયેલા શૂરવીર પુરૂષે શુભાશુભને વિચાર કરતા નથી. | સ્વભુજાના બલથી ગર્વિષ્ઠ થયેલે શિશુપાળ, ચતુરંગ સેનાને સાથે લઈ ત્યાંથી વિદાય થયો. કેટલેક દિવસે, પતાકાએથી સુશોભિત કુંડિનપુરમાં પ્રાપ્ત થયો. ભીમરાજાએ પિતાના જમાઈને મનહર ઉતારે આપી ઉતાર્યા. રૂકિમકુમાર પણ તેની પાસે હાથમાં છડી લઈ ઉભે રહ્યો. શિશુપાળના હુકમથી તેના સમગ્ર ઘોડેસ્વારોએ કુંડિનપુર ચિફેરથી ઘેરી લીધું. શિશુપાળ પણ સાવધાન થઈ રહ્યો તથા નારદના વચનથી શંકા પામેલા રાજાએ પિતાની આસપાસ કેટલાએક રક્ષકે રાખ્યા. ત્યાર પછી રુકિમણી પિતાની ફઈને કહે છે કે, શિશુપાળના ઘેડેસ્વારોએ, હાથી ઉપર બેઠેલા પુરૂએ તથા બીજા અનેક પાયદલ વડે આ કુંઠિનપુર તરફથી ઘેરાયેલું છે, તે હે ફઈ આપણું ગમન શી રીતે થશે. રુકિમણીની ફઈ બેલી કે તું તારા મનમાં જરા પણ ચિંતા કરીશ નહિ કારણ કે જગતમાં તેવું કઈ પણ કાર્ય નથી કે જે ઉપાય કરવાથી સિદ્ધ ન થાય. યોગ્ય ઉપાય કરવાથી સર્વ કાર્યો સિદ્ધ થાય છે માટે વિચાર છોડી ઉઠ
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy