SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુઓ પાસે તમારા જેવા રાજાઓને ભેટ આપવા લાયક વસ્તુ બીજી કયાંથી હોય, એમ ધારી આ લઈ આવ્યો છું. માટે હવે તે સ્ત્રી રનને ગ્રહણ કરવા માટે તમારામાં સત્તા હેય તે ગ્રહણ કરે. કારણ કે સત્તાહીન નપુંસક પુરૂષ તે સ્ત્રી રત્નને કબજે કરી શકે તેમ નથી. પણ હું ધારું છું કે જેમ વિધાત્રાએ દમયંતી નળરાજાને માટે જ ખાસ બનાવી હતી તેમ રુકિમણું પણ ખાસ તમારે માટે જ વિધાત્રાએ બનાવેલી છે. માટે તે વિષે જરાપણ તમારે ચિંતા ન કરવી કારણ કે જેમ પિતાના સ્વામિના પુત્રની સંભાળ રાખવાની ચિંતા સેવકને હોય છે તેમ નિખિલ સુષ્ટિની ચિંતા બ્રહ્માને હોય છે. આમ કહી વેચ્છાવિહારી નારદમુનિ સ્વેચ્છા મુજબ ચાલતા થયા. નારદનું ગમન થયા પછી કામાતુર થયેલા કૃષ્ણને ક્યાંય પણ ચેન પડયું નહીં. ભેજન ઉપર રૂચિ ન થવા લાગી તથા શયનમાં પણ કૃષ્ણને શાંતિ ન થઈ. કૃષ્ણ સભામાં બેઠાં બેઠાં પણ કામ ચેષ્ટાઓ કરવા લાગ્યા. આમ રુકિમણુને વિરહને લીધે કૃષ્ણ અસ્વસ્થ તથા અતિકૃશ થયા. કવિ કહે છે કે આ વાત હમણું અહીંથી જ રાખીયે ને હવે ડિનપુરમાં શી હકીકત બની તે ઉપર જરા લક્ષ દઈયે. શિશુપાલ રાજાએ તિવેત્તાઓ પાસે શુભ લગ્ન જેવરાવી લખાવી લગ્નપત્રિકા ભીમરાજા ઉપર મોકલી. લગ્ન પત્રિકામાં અતિ નજીક લગ્ન લેવાથી કૃષ્ણમાં મનવાળી રુકિમણી વિચારસમુદ્રમાં મગ્ન થઈ. કારણ કે બેલસરીના અતિ સુરભિ
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy