SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૩૫૦ છું. જે નગરમાં જતાં મને કોઈ અડચણ આવશે તો હું સિંહનાદ કરીશ. તમારે તે વખતે મારી પાસે સત્વર હાજર થવું.” આ પ્રમાણે સંકેત કરી બલદેવ હસ્તિનાપુરમાં ગયા. દેવ સ્વરૂપી બલદેવને જોઈ “આ કેણ હશે? એમ લેકે કહેવા લાગ્યા. મહાશય બલદેવે પિતાની આંગળીમાંથી મુદ્રિકા કાઢી તે વડે કંદોઈ પાસેથી જાતજાતનાં ખાજા લીધાં અને કડાને બદલે કલાલની દુકાનેથી મદિરા લીધી. તે લઈને બલદેવ જતા હતા, ત્યાં કેઈ રાજપુરૂષના જોવામાં આવ્યા. “આ બલદેવ છે,” એમ ઓળખી તેણે સત્વર જઈને રાજાને જણાવ્યું. ધૃતરાષ્ટ્રના પુત્ર અછરદન નામે ત્યાં રાજા હતા. તે બલદેવને ખબર સાંભળી પૂર્વનું વૈર સંભારી બલવાહન સહિત તેના ઉપર ચડી આવ્યા. તે વખતે રાજાની આજ્ઞાથી દરવાજાના અધ્યક્ષે અર્ગલા સહિત કમાડ બંધ કર્યા, જેથી વચ્ચે આવેલ બલદેવ શક્તિવાન છતાં બહાર નીકળી શકે નહીં. આ જોઈ મહામતિ બલદેવ સાથે લીધેલા ભોજનપાન નીચે મૂકી હસ્તિને ખીલે ઉખેડી અચ્છરદન રાજાની સામે દેડ્યા અને તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા. યુદ્ધ કરતી વખતે બલદેવે સિંહના શબ્દ જે સિંહનાદ કર્યો, જે સાંભળી કૃષ્ણ દરવાજાના કમાડ તેડી અર્ગલા સહિત નગરમાં પેઠા. તેણે હાથમાં તે પરિઘ લી. પછી બંને મહાબાહૂ ભાઈ તે વડે શત્રુના સૈન્યને મારવા લાગ્યા. છેવટે કૃષ્ણ અચ્છરદનને એટલે પકડીને વશ કરી કહ્યું, “અરે પાપી, તે આવું સાહસ કેમ કર્યું? તું એમ સમજે છે કે, અમારૂં બધું ગયું છે? પણ અમારી ભુજાનું
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy