SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૪૬ મંડલમાંથી અંગારાની વૃષ્ટિએ થવા માંડી. ઘણું લેકે સૂર્ય મંડલને છિદ્રવાલું જેવા લાગ્યા. અકાળે વીજળીઓ અને મેઘ ગર્જના થવા લાગી. સ્વપ્નામાં ચારે તરફ અગ્નિની વૃષ્ટિ જેવા લાગ્યા. ચક રત્ન વિગેરે રતને પિતાની મેળે જ વિનાશ પામ્યા. આ વખતે કૃષ્ણ અને બલદેવની બુદ્ધિમાં પણ અત્યંત મેહ થઈ ગયે પછી દ્વૈપાયને સંવત્ત પવનને વિકલ્પે પછી તેણે પ્રલય કાળના અગ્નિ જે મહાન પ્રજ્વલિત અગ્નિ છેડ્યો. પવનથી જાણે પાંખોવાલે હોય, તેમ તે અગ્નિ નગરીમાં ચારે તરફ ભમવા લાગે. સર્વ લેકે નાસતા હતા, તે પણ તે તાપસ તેઓને લાવી અગ્નિમાં ફેંકવા લાગ્યું. તેણે અંતઃપુરને પણ તેમાં નાંખી દીધું. તે આઠે દિશાઓથી કાષ્ઠ લાવ્યું અને તેનાથી દ્વારિકાને પૂરી દીધી લેકના કોલાહલથી, બાળકોનાં રેવાથી, અબળાઓના પિકારોથી અને રક્ષણ કરે, રક્ષણ કરે, એવા શબ્દોથી કાન ઉપર પડેલું વચન કોઈ પણ સંભળાતું ન હતું. સાત માળના પ્રાસાદે તડ તડ કરતા પડવા લાગ્યા અને પ્રલય કાળના અગ્નિ જેવા મેટ અગ્નિને ભડકે ધગ ધગ બલવા લાગે. લેક નામીને ઘણું ભાગવા જાય છે, પણ તેઓ એક પગલું પણ જઈ શક્તાં નથી. નગરીમાં જ્યાં ત્યાં બળતો અગ્નિ જ તેમના જેવામાં આવે છે. પિતાના સ્વજનોને અગ્નિમાં બળતા નજરે જોઈ કૃષ્ણ અને બલભદ્રને ઘણું દુઃખ લાગવા માંડ્યું. પછી રામ અને કૃષ્ણ બંને ભાઈઓએ એક ઉત્તમ રથ સજ્જ કર્યો અને તેમાં પિતાના માતા, પિતા, દેવકી, વસુદેવ અને રોહિણુને
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy