SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા. રાજીમતીના પ્રસંગે પોતાના પૂર્વ ભવ સાંભળી તેઓને જાતિસ્મરણ થઈ ભાળ્યુ. અને પછી વૈરાગ્યની સંપત્તિ પ્રાપ્ત કરી તેમણે નેમિનાથ પ્રભુની પાસે આદરથી મત ગ્રહણ કર્યુ. તેની સાથે તે વરદત્ત વિગેરે અગીયાર ગણધરાને વિધિથી ત્રિપદી દાન આપી સ્થાપિત કર્યાં. તે ગણુધરાએ તે ત્રિપઢીને અનુસારે દ્વાદશાંગી રચી. તે વખતે યક્ષિણી નામે રાજપુત્રીને વૈરાગ્ય થયા. તેણીએ બીજી ઘણી રાજપુત્રીઓની સાથે પ્રભુની પાસે વ્રત ગ્રહણ કર્યુ. તે ચાલીશ હજાર સાધ્વીઓમાં મુખ્ય થઈ અને પ્રભુએ એકાદશ અધ્યયનવાલી તે સાધ્વીને સની પ્રવૃત્તિની કરી. કૃષ્ણ વાસુદેવ, દશ દશા, બલભદ્ર અને ખીજા પ્રધુમ્ન, શાંબ વિગેરે કુમાર, શિયાદેવી, દેવકી, રૂકિમણી, રાહિણી તથા ખીજા યાદવેા શ્રાવકપણાને પ્રાપ્ત થયા. એવા શ્રી નેમિપ્રભુનો ચતુર્વિધ સ'ધ થયા. તેમજ ચતુર્વિધ ધર્મ પણ વૃદ્ધિવાલા થયા. ભગવાન નેમિનાથ મનુષ્યાને પવિત્ર કરનારૂ પોતાનું પવિત્ર ની સ્થાપન કરી ધર્મ દેશનાની વાણી કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. ઇન્દ્ર પ્રમુખ દેવતાઓ અને કૃષ્ણ વિગેરે યાદવે પોતપોતાને સ્થાને ગયા. પ્રભુના તીના અધિષ્ઠાયક દેવ મેઘ નામે ચક્ષુ થશે. તે શ્યામ અશ્વના જેવા મુખવાલેા, મનુષ્યનાં થાહન ઉપર બેસનારે અને છ ભુજાવાલે પરાક્રમી હતા. તેની જમણી ત્રણ ભુજામાં બીજોર્, ફરશી સને ચક્ર હતાં અને ડાબી ત્રણ ભુજામાં તેમર, ત્રિશૂલ અને શક્તિ હતાં. તેમની શાસનદેવી કુષ્માંડી નામે હતી. તેને સુવર્ણ ના
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy