SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫ નગરની કન્યાએ સ્વચ્છ અને સુંદર વાણીથી તેમને વધાવતી હતી. હવેલીએના ગેાખમાં રહેલી પુરની રમણીએ તેમને વારવાર નીરખતી હતી. સુર, અસુર અને મનુષ્યના સ રાજાએ તેમના ગુણાનું વર્ણન કરતા હતા. જેમનું ભારે મંગલ ગવાય છે એવા શ્રી નેમિનાથ વસ્રમંડપથી સુશેભિત એવા ઉગ્રસેન રાજાના મંડપમાં આવી પહોંચ્યા. રાજકુમારી રાજીમતી નેમિનાથના આવવાને ધ્વનિ સાંભળી મેઘના ધ્વનિને સાંભળી મયુરીની જેમ હર્ષોંથી પરિપૂર્ણ થઈ ગઈ. પેાતાના સુંદર વસ્તુ રૂપ જોવાને અત્યંત ઉત્સુક થઈ. તેણીએ સખીઓના વૃંદની સાથે મહેલના ગેાખને અલંકૃત કર્યાં. ગોખ ઉપર બેસી તે નેમિનાથને જોવા લાગી. તે વખતે તેણીને ઘણા હર્ષ થઈ આવ્યો અને તે પેાતાના ચિત્તમાં ચિંતવવા લાગી કે, આ શું મારૂ આવું ભાગ્ય છે ?’જ્યારે આ નેમિનાથ આવીને મને પરણે છે એ મારા કેવા ભાગ્ય ? મેં પૂર્વે શું સુકૃત કર્યાં હશે કે આ સુંદરવર મને પ્રાપ્ત થાય છે ?' આમ ચિતવતા તેણીનું જમણું લેાચન ક્રૂકર્યું. તરત જ એ લેાચના ક્ષણમાં ફુલોચના થઈ ગઈ. તરત જ તે રાજકન્યાનું મન કચવાણું. સખીએના સમુહે તેણીને તેમ થવાનું કારણ પૂછ્યું ત્યારે તે ગદ્ગુગદ્ સ્વરે મેલી, ‘સખીએ મારૂ જમણુ` નેત્ર ફરક છે, તે શું હશે ?' સખીએ મેલી, 'તમારૂં શુભ થાઓ, પાપ અને અમ’ગલ શાંત થાએ. સખી ! આ વિવાહ વખતે એવાં અનિષ્ટની શંકા શું કરે છે ? આવા શુભ દિવસે એવું દુનિમિત્ત કહેવું ન જોઈએ.’ આ પ્રમાણે તેએ વાર્તા કરતી
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy