SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પિતાને હાથ બતાવવા લાગ્યા. યાદના માત્ર ત્રણ દ્ધાઓએ આખે ચક વ્યુહ વીખી નાખે તે જોઈ જરાસંઘે રૂકિમ, દુર્યોધન અને રૌધિરિ એ ત્રણે કહ્યું કે, “જાઓ, જઈને વ્યુહમાં હજુ આગળ વધતા આવતા અર્જુનાદિક ત્રણેને રેકે. પિતાના સ્વામિની આમ પ્રેરણા થતાં એકદમ તેઓની સામા ગયા તેમાં દુર્યોધને અર્જુનને રેકી દીધો, રૌધિરિએ અનાધૃણિને અટકાયત કરી અને મહા શક્તિમાન અનેક રાજાઓથી સંપન્ન રૂકિમ રાજાએ મહાનેમિને રેયા અને તેઓ હાથીની માફક પરસ્પર દ્રઢ યુદ્ધ કરવા લાગ્યા. જાણે કે ક્રોધરૂપ ભૂતે તેઓના શરીરમાં આવેશ કર્યો હોય તેવા ભાન વગરના બનેલા તેઓ ઘણો વખત થયો છતાં યુદ્ધથી નિવૃત્ત ન થયા. તેમાં મહા ઉત્સાહી મહાનેમિએ રૂકિમને શસ્ત્ર વિનાને કરી શસ્ત્ર પ્રહારથી નીચે પાડી નાખે. મૃતપ્રાય થઈ ગયેલા રૂકિમને જોઈ દુર્યોધન તથા ઐધિરિ ઇત્યાદિક ઘણા રાજાઓ નીચે પડી ગયા. તેમાં જયની ઈચ્છા ધરાવતા શત્રુતપ આદિ સાત રાજાએ અતિ ત્વરાથી બાણને વરસાદ વરસાવવા લાગ્યા. પણ અર્જુનાદિક મહા બળવાન રાજાએ એકદમ જીતી શકાય તેવા નથી એમ વિચાર કરી શત્રુતપ રાજાએ એક અસહ્ય શક્તિ નામનું અસ્ત્ર અનાદિક ઉપર ફેંકયું. ગર્જના કરતી ચાલી આવતી તે પ્રચંડ તેજસ્વી શક્તિને જોઈ, હાથમાં વિવિધ શ ધરી ઉભેલા હજારે દ્ધાઓ તે શક્તિને અટકાવવા એકદમ ઉપરા ઉપર પડવા લાગ્યા. તે સમયે
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy