SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૩ હાથેથી નવાણુ' કન્યાઓના હાથને ગ્રહણ કરી એક સાથે સ સ્ત્રીએ સહિત અગ્નિને ક્તી ત્રણ પ્રદક્ષિણા કીધી અને વિધિ પ્રમાણે સર્વ વિવાહવિધિ કર્યો; સવ સ્ત્રીએ તે શાંખને જોઈ ઘણા હર્ષ પામી અને વિચાર કરે છે કે, આપણા ભવ તે સફળ થયા કે જેથી આપણુને રૂપમાં કામદેવ સમાન આવા પતિ મળ્યા; આ શાંખકુમાર સાક્ષાત્ કામદેવ જ હાવા જોઈએ અથવા કામદેવ અનુજ ખંધુ હાવા જોઈએ, કારણ કે તે એ વિના આ જગતમાં આવું અલૌકિક રૂપ હાતું નથી.' આમ પેાતાના હૃદયમાં વિચાર કરતી તથા અતિ હર્ષ પામતી તે નવાણું કન્યાએ, વિવાિિવધ સમાપ્ત થવાથી વિવાહ મડપમાંથી ઉઠી ચાલતા થયેલા શાંખની પાછળ શયનગૃહમાં ગઈ. તે શયનગૃહમાં આવતા ભીરૂને શાંખકુમારે વક્ર ષ્ટિથી જ પાછા કાઢી મૂકયા ત્યારે લજવાઇ ગયેલા ભાનુકુમારે પેાતાની માતા આગળ જઈ, મા ! ત્યાં તે શાંખ છે અને મને તેણે ત્યાંથી પાછે કાઢી મૂકયા,' વિગેરે સર્વ હકીકત કહી જણાવી, કારણ કે, મૂખાં બાળકોનું શરણુ તે માત્ર માતા જ હોય છે. ત્યારે પેાતાના પુત્રના કહેવા ઉપર વિશ્વાસ ન આવવાથી સત્યભામા એકદમ ત્યાં ગઈ. જઈ ને જુવે છે ત્યાં તેા હાસ્ય કરતા શાંમ જોવામાં આવ્યો. શાંખકુમાર પણ મા, મા,' એમ કહેતા કહેતા સત્યભામાના ચરણમાં નમ્યા. શાંખકુમારને જોઈ મહા ગુસ્સે થયેલી સત્યભામા ભૃકુટી ચડાવી કઠોર વચનેા કહેવા લાગી કે, અરે નીચ ! પાપી ! કપટ કરી આખા વિશ્વને છેતરનાર ! નીકળ, અહીંયાં તને કાણે તેડાવ્યેા છે ?’
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy