SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૭૬ કરવું કે શરીરને કઈ પણ ભાગ કોરો રહી ન જાય. ત્યાર પછી જીર્ણ વસ્ત્રના કકડાઓથી સાંધેલું વસ્ત્ર પહેરી મારી આગળ આવી ઉભાં રહો; આમાં જરા પણ તમારે શરમાવા જેવું નથી, કારણ કે હું તે તમારા પુત્ર તુલ્ય છું. પછીથી હું જે મંત્ર તમને આપું તે મંત્રને તમારે એકાગ્ર મનથી તમારી કુળદેવીની આગળ જપ કરે, તેટલા વખતમાં હું ભજન કરી લઉં.” બ્રાહ્મણના કહેવા પ્રમાણે સત્યભામાએ સર્વ કાર્ય કર્યું. ત્યાર પછી બ્રાહ્મણે તેને મંત્રને ઉપદેશ આપે જેમ કે, શ ાં # # 9 શાં શાં” આ મંત્રને ઉપદેશ કરી સર્વ વિધિ બતાવી બ્રાહ્મણ ભેજન કરવા બેઠે અને સત્યભામા પિતાની કુળદેવી આગળ જઈ મૌન વ્રત ધરી મંત્રનો જપ કરવા લાગી. અતિ સુધાતુર થયેલે માયાવી તે વિપ્ર ખૂબ મેદની ઉડાવવા લાગ્યો. સત્યભામાની દાસી જેમ જેમ આપતી ગઈ તેમ તેમ તે ખાતે જાય છે અને કહે છે કે, “અરે, હું તે હજી બહુ જ ભૂખે છું, હજી મારું પેટ ભરાયું નથી, હજી મને લાડુ આપે” આમ કહેતે જાય છે અને સ્વવિદ્યાની શક્તિથી ખાતે જાય છે. આમ કરતાં કરતાં સર્વ રઈ ખુટાડી ત્યારે અતિ ગુસ્સે થયેલી સર્વ દાસીઓ જેમ તેમ બકવા લાગી કે, “અરે અધમ બ્રાહ્મણ ! જેટલું હતું તેટલું તે તું ખાઈ ગયે, હવે તે અહીંથી જા !” બ્રાહ્મણ બોલ્યા કે, “તમારી દૂર દષ્ટિ હોવાથી મારી ઉપર તમારી નજર પડી. તે હવે મેં જે તમારૂં ખાધું છે
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy