SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ દુર્ગતિમાં જ જવાનો છે !” આમ બોલતે કુમારની આગળ આવ્યું ત્યારે અનેક શત્રુઓનો સંહાર કરનાર રુકિમણું પુત્રે કહ્યું કે, “અરે અજ્ઞાનિ ! ફેકટ બક્વાદ શું કરે છે, બળ હોય તે આવી જા સામે.” આમ કહી મહાબળવાન રૂકિમણું પુત્રે તેના હાથમાંથી તરવાર ખેંચી લીધી. પિતાની બળરૂપ પાંખ કપાઈ જવાથી બળહીન થયેલા પક્ષીની પેઠે ખડગ હરાઈ જવાથી નિર્બલ થયેલ તે દેવ પછી શું કરી શકે ? આવા અદ્ભુત પરાક્રમને જોઈ ચિત્તમાં ચમત્કાર પામેલે તે દેવ અંજલીપૂર્વક પ્રણામ કરી બેલ્યા, “હે મહા પુરૂષ ! આ વાવમાં સ્નાન માટે આવેલા અનેક પુરૂષને પ્રાણ મુક્ત કર્યા છે પણ તમારા જે સત્ય પરાક્રમી બીજે કોઈ પણ પુરૂષ મેં હજી સુધી જે નથી. શાસ્ત્રમાં કહેલું છે કે – अहयो बहवः सन्ति भेकभक्षणतत्पराः ॥ एक एव स शेषाऽहिर्धरित्रीधरणक्षमः ॥१॥ અથ–દેડકાંઓનું ભક્ષણ કરવામાં તત્પર તે ઘણું સપે છે પણ સમગ્ર ભૂમંડલને ધારણ કરવા સમર્થ તો એક શેષનાગ જ છે. આવી રીતે ઘણે વખત સ્તુતિ કરી દેવે પ્રદ્યુમનને મીન ધ્વજ (માછલાના ચિન્હવાળી ધજા) આપે, જેને લઈ ત્રણે જગતમાં પ્રદ્યુમ્નનું “મીનવજએવું નામ પ્રખ્યાત થયું. અનેક જાતિના પોથી પૂજાયેલ તથા દિકને સુરભિ કરતે પ્રદ્યુમ્નકુમાર હાથમાં મીન ધ્વજને લઈ વાપીથી બહાર
SR No.022740
Book TitlePradyumna Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnachandragani, Charitravijay, Ashokchandrasuri
PublisherKirti Prakashan
Publication Year1984
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy