SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલ યોગસૂત્ર ભાગ-૧ | સાધનપાદ | સૂત્ર-૩૩ ૨૨૦ અવતરણિકા : कथमेषां योगाङ्गत्वमित्यत आह - અવતરણિકાર્ય : પાતંજલયોગસૂત્ર ૨-૩૧/૩૨માં યમ અને નિયમને યોગાંગરૂપે બતાવ્યા. ત્યાં શંકા થાય કે, યમ અને નિયમ કઈ રીતે યોગાંગ બને ? એથી કહે છે – સૂત્ર : वितर्कबाधने प्रतिपक्षभावनम् ॥२-३३॥ સૂત્રાર્થ : વિતર્કના બાવનમાં પ્રતિપક્ષનું ભાવન છે યોગના વિરોધી એવા હિંસાદિના વિતર્કોના બાન અર્થે યમાદિના પાલનથી પ્રતિપક્ષનું ભાન થાય છે, તેથી યમ અને નિયમ યોગાંગ છે એમ અન્વય છે. llર-33II ટીકા: _ 'वितर्केति'-वितर्कान्त इति वितर्का योगपरिपन्थिनो हिंसादयस्तेषां प्रतिपक्षभावने सति यदा बाधा भवति तदा योगः सुकरो भवतीति भवत्येव यमनियमानां योगाङ्गत्वम् /ર-રૂણા ટીકાર્ય : વિતર્યંન્ત ... વોક્ત્વમ્ II વિતર્કો કરાય તે વિતર્ક કહેવાય અને તે વિતર્કો યોગના પ્રતિપંથી એવા હિંસાદિ છે અને તેઓનું પ્રતિપક્ષ ભાવન કરાયે છતે હિંસાદિના પ્રતિપક્ષ એવા અહિંસાદિના સેવન દ્વારા અહિંસાદિના ભાવોથી આત્માને ભાવિત કરાયે છતે, જ્યારે બાધા થાય છે હિંસાદિ ભાવોની આત્મામાં બાધા થાય છે, ત્યારે યોગ સુકર બને છે, એથી યમ-નિયમનું યોગાંગપણું છે જ. IN૨-૩૩ll. ભાવાર્થ : અહિંસાદિ યમના સેવન દ્વારા અહિંસાદિથી આત્માને ભાવિત કરવાથી હિંસાદિ ભાવોની બાધા થવાને કારણે યોગની સુકરતા થવાથી ચમ-નિયમનું ચોગાંગાણું : સંસારી જીવો બાહ્ય હિંસાદિની પ્રવૃત્તિ કરે છે તે વખતે ચિત્તમાં હિંસાદિમાં વિતર્કો પ્રવર્તે છે અને હિંસાદિના વિતર્કો યોગમાર્ગના પ્રતિપંથી છે; કેમ કે બાહ્ય એવા ભોગાદિના રાગથી સંસારી જીવોના ચિત્તમાં હિંસાદિના વિતર્કો પ્રવર્તે છે અને ભોગાદિનો રાગ હિંસાદિના વિતર્કકાળમાં પુષ્ટ
SR No.022735
Book TitlePatanjalyog Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy