SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ કુમારપાળ ચરિત્ર લોકેએ પૂછયું. તું કયાં ગયે હો ? ત્યારે તેણે પિતાનું ચરિત્ર કહ્યું. ત્યારપછી કામની પીડાને લીધે દેવીઓને મેળવવા માટે અગ્નિપ્રવેશ કરી તેણે મરવાની રૌયારી કરી. આ વાત સાંભળી નાગિલ નામે તેને મિત્ર તેની પાસે આવે. અને તેણે તેને કહ્યું. આ તું શું કરે છે ? તે બુદ્ધિમાન છે. અજ્ઞાન મરણ–આત્મઘાત કરવા તેને ઉચિત નથી. માત્ર ભેગની ઈરછાથી તું મનુષ્યપણું શા માટે ગુમાવે છે? કારણ કે દરેક ભવમાં ભોગ વિલાસ પ્રાપ્ત થાય છે, પણ મનુષ્યભવ તે. ફરીથી દુર્લભ હોય છે. ભેગને માટે પણ દિવ્યમણિના વૈભવસમાન ધર્મનું તું આરાધન કર. જે ધર્મ યથેછિત અર્થ અને કામ આપીને છેવટે મોક્ષસુખ પણ આપે છે. વળી સ્ત્રી પર જે રાગ છે, તે જે ધર્મ લક્ષમીપર હેય, તે તે મુક્તિ પણ તારી ઈચ્છા કર્યા વિના રહે જ નહીં. એક જ રાગ શુભદષ્ટિથી ધારણ કર્યો હોય તે મોક્ષ આપે છે અને તેજ રાગ અશુભ દષ્ટિએ કર્યો હોય તે સંસારને હેતુ થાય છે. એ પ્રમાણે તેના મિત્રે ઘણે ઉપદેશ આપે, તે પણ તેના માનવામાં તે વાત આવી નહીં અને નિદાન પૂર્વક અગ્નિપ્રવેશથી મરણ સાધી પંચશૈલને અધિપતિ છે. વિદ્યુમાલી એવું તેનું નામ થયું. હાસા અને પ્રવાસા સાથે હંમેશાં ભોગવિલાસ કરવા લાગ્યા. અતિશય આનંદથી પિતાને કૃતાર્થ માનતે હતે. મિત્રના અકસ્માત મરણુથી નાગિલ પણ સંસારથી વિરકત થયે. આહંતી દીક્ષા લઈ બારમા દેવલોકમાં તે દેવ થયે. વિદ્યુમ્માલી પશ્ચાત્તાપ નંદીશ્વરમાં યાત્રા માટે દેવોએ પ્રયાણ કર્યું. તેમની આજ્ઞાથી હાસ અને પ્રહાસા, એ બંને દેવીઓ ગાયન માટે તેમની આગળ ચાલી.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy