SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ કુમારપાળ ચરિત્ર રૂતુમાં પ્રવાહથી સંપૂર્ણ ભરેલી નદીને તરવા માટે શક્તિમાન હોય તેઓ જ ખરા તારા ગણાય.” હે રાજન ! આ પૃથ્વી સત્ય બ્રહ્મચર્યધારક તારાથી જ શેભે છે. પૂર્ણિમાના ચંદ્રવડે જ રાત્રી પ્રકાશવાળી કહેવાય છે. ઈશાનદેવેંદ્ર પિતાની સભામાં જેવી તારી પ્રશંસા કરી હતી, તે જ તારે અનુભવ મને થયું, કારણકે, સજજનેની વાણી મૃષા હિતી નથી. હવે તું બોલ ? મેં તારી કદર્થના કરી છે. તેથી શું તારૂં પ્રિય કરી હું તને પ્રસન્ન કરૂં ? સૂર્ય પણ વૃક્ષને તપાવી વૃષ્ટિથી તેનું સિંચન કરે છે. | વિક્રમભૂપતિ બેલ્યો. હે દેવી! શીલ પાલન કરવું, એ મને બહુ પ્રિય છે. તે તે તું કરી ચૂકી છે. હવે બીજું શું કરવા તું ધારે છે ? એમ બેલી વિક્રમરાજા મૌન રહ્યો કે, તરત જ દેવી તેને શિવપુરમાં લઈ ગઈ અને રત્નજડિત સિંહાસન ઉપર બેસારી દિવ્ય આભૂષણેથી તેને સારી રીતે વિભુષિત કર્યો. પ્રેમવિશુદ્ધ એવા નગરના લેકેને રાજાનું તે વૃત્તાંત સાંભળી મેઘશ્રેણીની માફક વર્ણરાશિની વૃષ્ટિ કરી દેવી પિતાના સ્થાનમાં ચાલી ગઈ. આશ્ચર્યકારક તે ચરિત્ર સાંભળી નગરજને પ્રમોદ સાગરમાં ગરક થઈ ગયા અને તેના પિતાના સ્વામીવડે તેઓ પોતાના આત્માને ધન્ય માનતા હતા. વિક્રમરાજાના શીલને ઉત્તમ મહિમા સર્વ જગતમાં ફેલાઈ ગયા અને તે શીલરહિત માણસોને પણ શીલમાર્ગમાં દોરનાર થ. રત્નસારકુમાર વિક્રમરાજાને ગૃહસ્થાશ્રમ સેવતાં તદ્રુપ વૃક્ષના ફળ સમાન રનમંજરીની કુક્ષિથી એક પુત્ર જન્મે. રત્નસાર તેનું નામ પાડયું.
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy