SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણશ્રીને સંદેશ ૨૨૧ હાલમાં પોતાની સભામાં બેઠેલા ઈશાને કે પિતાના જ્ઞાનથી શીલતમાં સ્થિર તને જાણીને દેવેની આગળ કહ્યું. હે દેવે ! ઘાતકીખંડના ભરતક્ષેત્રમાં શિવપુરનગરને રાજા વિક્રમ હાલ શીલવ્રતમાં જે દેઢ છે, તે બીજે કઈ નથી. પ્રાચે ચારિત્રધારી-મુનિ પણ શીલથી કદાચિત ચલાયમાન થાય, પરંતુ વિક્રમરાજા અપ્સરાઓથી પણ પોતે ચલાયમાન થાય નહીં. લાવણ્યવતી અપ્સરાઓમાં ચૂડામણિ સમાન હું તેની દેવી છું. આ તારી પ્રશંસા સાંભળી મેં ઘણે વિચાર કર્યો. અહે! ઈશાનેંદ્રનું આ વાક્યાતુર્ય કે નવીન પ્રકારનું છે, કારણકે મનુષ્ય કીટને દેવીઓ પણ શીલથી ન ચલાવી શકે. સ્વપ્નમાં પણ યુવતિને જોઈ માણસ જલદી વિહૂવલ થાય છે, તે સાક્ષાત્ મેહની વેલડી સમાન દેવીઓને જોઈ વિહુવલ થાય તેમાં નવાઈ શી ? છે એમ વિચાર કરી હું તારી પરીક્ષા માટે સ્વર્ગમાંથી એકદમ અહીં આવી અને અશ્વાપહારાદિક સર્વ પ્રપંચ મેં કર્યો. ' હે ભદ્ર! મસ્તક છેદનને સ્વીકાર કરીને પણ જે તે પોતાના નિયમથી ખલિત થયે નહીં, તેથી ધર્મવીરની ઉપમા તને જ ઘટે છે અને શીલવત પાલનારાઓને મુકુટ પણ તું જ છે. के शील परिशीलयति न जनाः स्वास्थ्ये व्रतस्थास्तु ते, __ ये नैव व्यसनेऽपि जीवितमिवोन्मुश्चन्ति तत् कर्हिचित् । ग्रीष्मे शैवलिनी तरन्ति न कति स्युस्तारकास्ते पर, श्रोतःप्रोततटावनिं घनऋतौ ये तां तरीतुक्षमाः ॥ १ ॥ આરોગ્ય સમયમાં કયા માણસ શીલવ્રત પાલતા નથી ? પરંતુ જેઓ પ્રાણ સંકટમાં પણ જીવિતની માફક કઈ દિવસ શીલને ત્યાગ કરતા નથી તેઓ જ સાચા વ્રતધારી જાણવા. ગ્રીષ્મ રૂતુમાં કયા પુરુષે નદી તરતા નથી, પરંતુ જેઓ વર્ષ
SR No.022734
Book TitleKumarpal Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherMahudi Jain SMP Sangh
Publication Year1988
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy