________________
૧૪૬
વૈરાગ્યેકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્થ:વિષયામિષમાં આસક્ત એવા મને રાગાદિનો નિગ્રહ ક્યાંથી હોય? સાધર્મિકનો અનુરાગ મને કર્તવ્ય અવશેષ રહે છે. ll૨૯૭ શ્લોક :
इति ध्यात्वा मुनेः पार्श्वे, गृहीतस्तदभिग्रहः ।
गृहे गत्वा मया नत्वा, तातानुज्ञा च याचिता ।।२९८ ।। શ્લોકાર્થ:
આ પ્રમાણે વિચારીને મુનિ પાસે તેનો અભિગ્રહ ગ્રહણ કરાયો= સાધર્મિકનો અનુરાગ મારે કરવો જોઈએ એ પ્રકારે તેનો અભિગ્રહ ગ્રહણ કરાયો, અને ઘરમાં જઈને મારા વડે નમીને પિતાની અનુજ્ઞા યાચના કરાઈ. ||ર૯૮II શ્લોક :
संगान्मम पिताऽप्यासीद् भद्रको जिनशासने ।
स्वाभिप्रेतं कुरुष्वेति, निःशकं सोऽन्वमन्यत ।।२९९।। શ્લોકાર્ચ -
મારા સંગથી પિતા પણ જિનશાસનમાં ભદ્રક હતા, સ્વાભિપ્રેતને= સાધર્મિકની ભક્તિ કરવા રૂપ સ્વઅભિપ્રેતને, નિઃશંક તું કર, એ પ્રમાણે તે પિતાએ, અનુમતિ આપી. ર૯૯ll શ્લોક :
ततः प्रभृति सर्वोऽपि, बन्धुत्वेन मयेक्षितः ।
कुलजात्यादिहीनोऽपि, नमस्कारधरोऽपि यः ।।३०० ।। શ્લોકાર્ય :
ત્યારથી માંડીને કુલજાત્યાદિથી હીન પણ, નમસ્કારને ધારણ કરનાર પણ જે છે તે સર્વ પણ બંધુપણાથી મારા વડે જોવાયા.