________________
લોકોને મારી આ શરીરની કાન્તિ નજરે પાડું; કારણ કે જ્યાં સુધી લોકો દેખે નહીં ત્યાં સુધી ગમે એવી શ્રેષ્ઠ શોભા હોય તેથી પણ શું ? વળી મારા કુપાત્ર પુત્રોની શી દશા થઈ છે એ પણ હું જોઉં કારણ કે ભાગ્યશાળી પુરુષો જ પોતાના ઉદાર પરાક્રમોને નજરે જુએ છે ! એમ વિચારીને પાછો વળી નગરી ભણી ચાલ્યો. નગરમાં પ્રવેશ કર્યો એટલે નગરવાસીઓ એને વિકસ્વર નેત્રોથી જોઈ રહ્યા, અને કહેવા લાગ્યા “અહો ! આ વિપ્ર ક્યાંથી આવો તદ્દન નીરોગી થઈ આવ્યો ? તારી સ્થિતિ બદલાઈ ગયેલી જોઈને અમને અત્યંત આશ્ચર્ય થાય છે !” બ્રાહ્મણે એમને ઉત્તર આપ્યો-નિરંતર એકાગ્ર ચિત્તે ઉત્તમ તીર્થની સેવા કર્યાથી મને દેવ પ્રસન્ન થયા અને એણે મારો વ્યાધિ દૂર કર્યો; અથવા તો-દેવતા પ્રસન્ન થાય છે તો આ દેહ જ સ્વર્ગ બનાવી દે છે, લોકો કહેવા લાગ્યા-અહો ! ધન્ય છે આ વિપ્રને કે દેવતાની કૃપા એણે પ્રાપ્ત કરી ! આમ પ્રશંસા પામતા સેડુબકે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો, તો અનેક કીડાઓથી ખવાઈ ગયેલા પત્રવાળા વૃક્ષોની જેમ મહા વ્યાધિથી પીડાતા એના પુત્રો એની નજર પડ્યા. અત્યંત હર્ષ સહિત પિતાએ પુત્રોને કહ્યું-હે કુપુત્રો ! તમે મારી અવજ્ઞાનું પૂરેપૂરું ફળ ભોગવો. એ સાંભળી પુત્રો કહેવા લાગ્યા-હે તાત ! તમે આવું નિર્દય આચરણ તમારા જ પુત્રો પ્રત્યે કેમ કર્યું ? તમારી બુદ્ધિ ચળી ગઈ છે ! તમે આવું કુકર્મ કરતાં પાપથી પણ ડર્યા નહીં અથવા તમારા આ પળીઆથી પણ લજ્જા પામ્યા નહીં ? એ સાંભળી પિતા પણ મોટેથી આક્રોશ કરી બોલ્યો-અરે દુષ્ટો ! તમારાં પોતાનાં કાર્યો તો તમે સંભારો કે તમે તમારા પિતાનો પણ કેવી રીતે એક શ્વાનની પેઠે પરાભવ કર્યો છે ? તમારા પોતાના જ પાપને લીધે ભય ને લજ્જા બંને જતા રહ્યા છે તેથી જ તમે, જેના થકી આ ઉચ્ચ પદવીને પામ્યા છો એવા મને બહુ વિડંબના પમાડી છે ! અથવા તો લોકો પારકા અલ્પ દોષને બહુ જુએ છે અને પોતાના પર્વત સમાન મહાન્ દોષો હોય છે તેને ભાળતા જ નથી. વળી તમે બ્રાહ્મણનો કે વણિનો દંશ જાણતા નથી લાગતા તેથી જ તમે મારા ઉપર એટલી આફત ગુજારી હતી. તો હવે જાણજો કે મારા જેવા રંકે તમારા જેવા અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પાંચમો)
૨૪૧