SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ પામ્યો. અથવા તો વારૂણીનું નિરંતર સેવન કરવાથી કોનો ક્ષય નથી થતો ? દિવસપતિ-સૂર્ય અસ્ત પામ્યું છે જેને વિષે જેનું સંભાવ્યપણું હતું તેને વિષે તે રહ્યું નહીં; કારણ કે મહાન એવા પણ આકાશને રાગ થયો; અને જડ (જળ) થકી ઉભવતા એવા બિચારાં કમળો ઉલટાં સંકોચ પામ્યાં. જે આકાશમાર્ગને વિષે રહીને સૂર્ય ચરાચર જગતને વિષે ઉદ્યોત કરતો હતો એજ આકાશને વિષે હવે જેમનાં પગલાં થયાં એવાં મલિનાત્મ અંધકાર પુનઃ તે (ચરાચર જગત)ને અંધ બનાવવા લાગ્યાં-એવા અંધકારને ધિક્કાર છે ! મિત્રને જોવાની અપેક્ષાથી નેત્રોને પ્રસારતું હોય નહીં એમ ગગન પણ તે વખતે ચકચક થતા તારાઓથી શોભવા લાગ્યું. વળી સમસ્ત તાપસજીવો (ખળ પુરુષો-ઘુવડપક્ષીઓ) ઉલ્લાસ પામવા લાગ્યા કારણ કે ભુવનને વિષે પોતાનું રાજ્ય થાય ત્યારે કોણ વિકસ્વર નથી થતું ? એવામાં તો “હા ! મિત્ર (સુહત-સૂર્યના જવાથી અંધકારે વિશ્વને દુઃખ દેવા માંડ્યું છે” એવા રોષથી જ હોય નહીં એમ ક્ષણવાર મુખ પર સહેજ રક્તવર્ણ ધારણ કરતો ચંદ્રમા એ અંધકારનો વિનાશ. કરવાને ઉદયાચળ પર આવ્યો. અમૃતરશ્મિ-(ચંદ્ર) મંડળ હજુ તો આકાશને વિષે એક કોસ પ્રમાણ ઊંચે નહોતું આવ્યું ત્યાં તો એ શરદ્ધા મેઘ સમાન કોમળ (શીતળ) થઈ ગયું; અથવા તો અમૃત (જળ) સ્વભાવ થકી જ શીતળ છે. અહો ! આ કલાવાન ચંદ્રમાની કોઈ લોકોત્તર જ કળા છે કે શીતળ એવા પણ એણે આ વખતે અંધકારનો વિનાશ કર્યો; ચક્રવાકનાં યુગલને પરસ્પર વિયોગ પમાડ્યા અને કમળબંધનથી મધુકરને મુક્ત કર્યો. આ ચંદ્રમા જેવો ગોળાકાર છે, શીતળ છે, કળાવાન છે તેવો જ જો નિષ્કલંક હોત તો જગતને વિષે એનો કોઈ પ્રતિસ્પર્ધ્વ રહેત નહિ, અથવા તો આ વિશ્વને વિષે કયો માણસ સર્વગુણ સંપન્ન છે ? એ વખતે કર્ણપાશને વિષે ચંચળ કુંડળ પહેરી, કંઠરૂપી કંદલને ૧. (૧) પશ્ચિમ દિશા, (૨) મધ-દારૂ. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧) ૧૬૬
SR No.022728
Book TitleAbhaykumar Mantrishwar Jivan Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Oghavji, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy