________________
નાશ પામે છે.
ઉપરની શ્રી અંતિમ તીર્થકરની અત્યુત્તમ દેશનાથી ક્રૂર પ્રાણીઓ પણ પ્રતિબોધ પામ્યા. કારણ કે અતિ નિદ્રાળુ જન પણ ભાનુનો ઉદય થયે નથી જાગતો શું ? પછી શ્રેણિક નરપતિએ ત્રિજગદ્ગુરુ શ્રી વીરપરમાત્માની સમક્ષ મિથ્યાત્વ રૂપી વિષનો ત્યાગ કરીને જૈન દર્શનરૂપી અમૃતનો સ્વીકાર કર્યો. હૃદયને વિષે અત્યંત ભાવ ઉત્પન્ન થવાથી અભયકુમારે પણ પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરીને વિજ્ઞાપના કરી કે-હે જિનેશ્વર ! અદ્યાપિ હું ચારિત્ર લેવાને સમર્થ નથી; કારણ કે વૃષભથી વહન થઈ શકે એટલો ભાર ધારણ કરવાની નાના: વાછરડામાં શક્તિ હોતી નથી. માટે હે સ્વામી મારા પર કૃપા કરીને મને શ્રાદ્ધ ધર્મ અંગીકાર કરાવો; કારણ કે કલ્પદ્રુમ દુર્લભ હોય તેથી શું આમ્રવૃક્ષ પણ અપ્રાપ્ય કહેવાય ? એ પરથી દેવાધિદેવ શ્રી વીર પ્રભુએ તેને યોગ્ય એવો ધર્મ તેને અંગીકાર કરાવ્યો; કારણ કે જિનેશ્વર મહારાજા નિત્ય લોકોને અનુરૂપ ધર્મ જ ગ્રહણ કરાવે છે.
હવે અભયકુમારે શ્રાદ્ધધર્મ અંગીકાર કર્યા પછી મેઘકુમાર પણ ઊભો થઈને પ્રભુને નમી અંજલિ જોડી ભક્તિકોમળવાણી વડે કહેવા લાગ્યો-હે સ્વામી ! જન્મ-જરા-અને મૃત્યુ રૂપી મત્સ્યોથી સંપૂર્ણ એવા આ ભવસાગરથી નિર્વેદ પામેલા એવા મને દિક્ષારૂપી નૌકા આપો. હું હમણાં મારા માતાપિતાની આજ્ઞા માગી લઈને આપના ચરણકમળ સમીપ પ્રવ્રજ્યા ગ્રહણ કરીને પુષ્પની જેમ મારા જન્મને સફળ કરીશ. શ્રી જિનેશ્વર ભગવંતે તે પરથી કહ્યું- હે દેવાનુપ્રિય ! તારી એ ઈચ્છા નિર્વિઘ્ન પરિપૂર્ણ થાઓ; તારે હવે ક્યાંય પણ પ્રતિબંધન કરવું નહીં. જો તીર્થકર મહારાજા શીત-ઉષ્ણ સુધા કે તૃષાના ભયની અવગણના કરીને સતત. ધર્મદેશના આપ્યા કરે અને સર્વ આયુષ્ય પણ ત્યાં જ ખપાવે તો પણ ક્યારેક શ્રોતામાંથી કોઈ પણ નિર્વેદ ન પામે (સંસાર ત્યજે નહિ.) પછી
૧. મા પવિત્યે વાદા એમ સૂત્રપાઠ છે. પ્રભુનો કહેવાનો મતલબ એ છે કે હવે તું ક્યાંય પણ વિલંબ કરીશ નહીં.” અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૩૩