________________
११३६
जइ ण्हाण-विलेवण- भूसणेहिं कीरइ इमस्स नो चेट्ठा । ता वासरससहरमंडलंव सोहं न उव्वहइ ||२||
तओ पुणोऽवि भणियं जणणी - 'पुत्त! इमाओ समुन्नयरायकुलसंभवाओ, सयलकलाकुसलाओ, रूवलायन्नमणहरंगीओ, जलहिवेलाओ व सकुलालंकरणाओ, सुमुणिमालाओ इव मुत्ताहारपरिग्गहाओ, मयगलावलीओ इव लीलालसगामिणीओ, पीणघणथणविणमियमुट्ठिगेज्झमज्झाओ, मणोणुकूलवत्तिणीओ, सव्वंगसुंदरंगीओ पियदंसणापमुहाओ अट्ठ पिययमाओ अपत्तकालेच्चिय परिच्चइऊणमच्चंतमजुत्तं तुह तवोकम्ममारंभिउं । तम्हा एयाहिं सद्धिं ताव भुंजाहि माणुस्सए कामभोए, परिणयवओ य एयाहिं चेव समं पव्वज्जं आयरेज्जासि।'
यदि स्नान-विलेपन-भूषणैः क्रियते अस्य नो चेष्टा ।
तदा वासरशशधरमण्डलमिव शोभां न उद्वहति ।।२।।
श्रीमहावीरचरित्रम्
ततः पुनरपि भणितं जनन्या 'पुत्र! इमाः समुन्नतराजकुलसम्भवाः, सकलकलाकुशलाः, रूपलावण्यमनोहराङ्ग्यः, जलधिवेला इव स्वकुलाऽलङ्करणाः, सुमुनिमालाः इव मुक्ताहारपरिग्रहाः, मदकलाऽऽवल्यः इव लीलाऽलसगामिन्यः, पीनघनस्तनविनामितमुष्टिग्राह्यमध्याः, मनोनुकूलवर्तिन्यः, सर्वाङ्गसुन्दराङ्ग्यः प्रियदर्शनाप्रमुखाः अष्टौ प्रियतमाः अप्राप्तकाले एवं परित्यज्य अत्यन्तमयुक्तः तव तपकर्म-आरम्भः। तस्माद् एताभिः सह तावद् भुङ्क्ष्व मानुष्यकान् कामभोगान्, परिणतवयश्च एताभिः एव समं प्रव्रज्यां आचरिष्यस्व ।'
વળી જો સ્નાન, વિલેપન અને આભૂષણવડે આ શરીરની સેવા ન કરીએ તો તે દિવસે રહેલા ચંદ્રમંડળની જેમ શોભાને ધા૨ણ કરતું નથી.' (૨)
તે સાંભળીને ફરીથી માતાએ કહ્યું કે - ‘હે પુત્ર! આ મોટા રાજકુળમાં ઉત્પન્ન થયેલી, સમગ્ર કળામાં કુશળ, રૂપ અને લાવણ્યવડે મનોહર અંગવાળી, સમુદ્રની વેળાની જેમ પોતાના કુળ(કાંઠા)ને અલંકાર કરનારી, ઉત્તમ મુનિઓની માળા(સમૂહ)ની જેવી મુક્તાહારના પરિગ્રહવાળી, હાથીઓની શ્રેણિની જેવી લીલાવડે મંદ મંદ ગતિ કરનારી, પુષ્ટ અને મોટા સ્તનના ભારથી નમી ગયેલ અને મુષ્ટિવડે ગ્રહણ કરી શકાય તેવા મધ્ય (કટી) ભાગવાળી, મનને અનુકૂળ વર્તનારી અને સર્વ અંગે મનોહર આ પ્રિયદર્શના વિગેરે તારી આઠ પ્રિયાઓને સમય પ્રાપ્ત થયા પહેલાં જ ત્યાગ કરીને તારે તપક્રિયાનો આરંભ કરવો અતિ અયોગ્ય છે. તેથી આ પ્રિયાઓની સાથે હાલ તો તું મનુષ્ય સંબંધી કામભોગને ભોગવ, અને પછી પરિણત વયવાળો થા ત્યારે આ પ્રિયાઓ સહિત જ પ્રવ્રજ્યા ગ્રહણ કરજે.'
૧. સ્ત્રીઓ મોતીના હારને ધારણ કરનારી અને મુનિઓ આહાર અને પરિગ્રહથી મુક્ત થયેલા.