________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
આ રીતે નિર્મિધ્યા અને શાક્યભાવથી વર્તતા એવા અમારા બેનાં અનેક ક્રીડાના સારવાળાં વર્ષો પસાર થાય છે=વિમલકુમાર નિર્મિધ્યાભાવથી વર્તે છે અને વામદેવ શાક્યભાવથી વર્તે છે એવા અમારા બેનાં અનેક ક્રીડાના સારવાળાં વર્ષો પસાર થાય છે. I૯ll શ્લોક :
ततश्चकौमारे वर्तमानेन, विमलेन महात्मना ।
आसाद्य सदुपाध्याय, गृहीताः सकलाः कलाः ।।७०।। શ્લોકાર્ય :
અને ત્યારપછી કુમાર અવસ્થામાં વર્તતા એવા વિમલ મહાત્મા વડે સઉપાધ્યાયને પામીને સકલ કલા ગ્રહણ કરાઈ. ll૭૦] શ્લોક :
योषितां नयनानन्दं, मीनकेतनमन्दिरम् ।
लावण्यसागराधारं, तारुण्यकमवाप सः ।।७१।। શ્લોકાર્થ :
સ્ત્રીઓના નયનનો આનંદ, મીન કેતનનું મંદિર કામદેવનું મંદિર, લાવણ્યના સાગરનો આધાર એવું તારુણ્ય તે વિમલ, પામ્યો. II૭૧II
क्रीडानन्दनकाननम् બ્લોક :
अथान्यदा मया सार्धं, ललमानो महामतिः । स क्रीडानन्दनं नाम, संप्राप्तो वरकाननम् ।।७२।।
ક્રીડાનંદન નામનો બગીચો શ્લોકાર્થ :
હવે અન્યદા મારી સાથે રમતો મહામતિ એવો તે વિમલકુમાર, ક્રીડાનંદન નામના શ્રેષ્ઠ બગીચામાં પ્રાપ્ત થયો. ll૭૨ા.