________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૬ | પંચમ પ્રસ્તાવ
શ્લોક ઃ
શ્લોકાર્થ
-
ततस्तद्वचनं तात! स्मरन्नेषोऽहमागतः ।
भगिनीं पुरतः कृत्वा, दर्शयामीति ते किल ।। ४२ ।।
તેથી=ભગિનીને બતાવવાનું વચન સ્વીકાર્યું તેથી, હે તાત ! વામદેવ ! તે વચનને સ્મરણ કરતો આ હું=મૃષાવાદ, આવેલો છું. ભગિનીને આગળ કરીને ખરેખર તને બતાવું છું. ॥૪૨॥
શ્લોક ઃ
यावता
स तदा तादृशः स्नेहस्तव तात ! मयासह ।
તત્તાદૃશા: સમુત્તાપા:, સા ૨ મૈત્રી મનોહરા ||૪રૂ।।
૧૧
શ્લોકાર્થ :
જ્યાં સુધી હે તાત ! વામદેવ ! તારો તેવો સ્નેહ ત્યારે=રિપુદારણના ભવમાં મારી સાથે હતો તે કારણથી તેવા પ્રકારના સમુલ્લાપો અને તે મનોહર મૈત્રી હતી. II૪૩]I
શ્લોક ઃ
तथापि -
न त्वं प्रत्यभिजानीषे, दृष्टमप्यधुना जनम् ।
महत्तरमतोऽपि स्यात्किं शोकभरकारणम् ? ।।४४ ।।
શ્લોકાર્થ :
તોપણ જોવાયેલા પણ જનને હમણાં તું ઓળખતો નથી. આનાથી પણ મહત્તર શોકભરનું કારણ શું હોય ? ||૪૪||
શ્લોક ઃ
तदेष मन्दभाग्योऽहं भवता परिवर्जितः ।
क्व यामि क्व च तिष्ठामि ?, संजातश्चिन्तयाऽऽतुरः ।। ४५ ।।
શ્લોકાર્થ :
તે કારણથી=આપણો જુનો પરિચય હોવા છતાં અને ગાઢ મૈત્રી હોવા છતાં તું મને ઓળખતો નથી તે કારણથી, મંદભાગ્ય એવો હું તારા વડે ત્યાગ કરાયેલો ક્યાં જાઉં અને ક્યાં રહું ? ચિંતાથી આતુર થયો=એ પ્રકારની ચિંતાથી મૃષાવાદ આતુર થયો. ।।૪૫।।