________________
૪૪૮
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવા શ્લોક :
अद्यैव ननु जातोऽस्मि, राज्येऽद्यैव प्रतिष्ठितः ।
अद्यैव पटुकर्णोऽस्मि, पश्याम्यद्यैव चक्षुषा ।।७।। શ્લોકાર્ચ -
ખરેખર આજે જ હું જન્મ્યો છું. રાજ્યમાં આજે જ પ્રતિષ્ઠિત થયો છું. આજે જ તમારા દર્શનથી પટુકર્ણવાળો થયો છું. ચક્ષુથી આજે જ જોઉં છું. અર્થાત્ તમારા દર્શનથી પ્રગટ થયેલી ચક્ષુથી આજે જ જોઉં છું. Ill શ્લોક :
यदद्याऽखिलसन्तापपापाऽजीर्णविरेचनम् ।
भाग्यसंसूचकं मन्ये, संपन्नं तव दर्शनम् ।।८।। શ્લોકાર્ચ -
જે કારણથી આજે અખિલ સંતાપરૂપી પાપના અજીર્ણનું વિરેચન, ભાગ્યનું સંસૂચક તમારું દર્શન પ્રાપ્ત થયું છે એમ હું માનું છું. IIcn શ્લોક :
एवं संस्तुत्य राजेन्द्रः, सूरिं सूदितकल्मषम् ।
प्रणम्य शेषसाधूश्च, निषण्णः शुद्धभूतले ।।९।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે સ્તુતિ કરીને રાજેન્દ્ર, નાશ કર્યા છે પાપ જેમણે એવા સૂરિને નમસ્કાર કરીને અને શેષ સાધુઓને નમસ્કાર કરીને શુદ્ધ ભૂતલમાં બેઠા. ll૯ll શ્લોક :
स्वर्गाऽपवर्गपण्यस्य सत्यंकार इवाखिलैः ।
गुरुभिर्मुनिभिश्चोच्चैर्धर्मलाभः कृतो नृपे ।।१०।। શ્લોકાર્ચ -
સર્વ ગુરુઓ વડે અને મુનિઓ વડે સ્વર્ગ અને અપવર્ગ રૂપ વસ્તુને પ્રત્યક્ષ કરાવનાર ન હોય એવો ધર્મલાભ રાજાને આપ્યો. TI૧૦II