________________
૪૧૦
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ મતિધન ! અહીં અન્ય વિકલ્પ વડે શું? કુમારને બોલાવવા માટે પ્રચ્છન્ન જ દૂત મોકલાવો. જેના કારણે સર્વત્ર શાંતિ થાય. મતિધન વડે કહેવાયું – આ પ્રમાણે થાઓ. ત્યારપછી સર્વરોચક નામના મંત્રી વડે હું મોકલાવાયો છું. તે આ દૂતનું વચન સાંભળીને શ્વાનર ઉલ્લસિત થયો. મારો સુંદરતર અવસર થશે તેથી હિંસા ખુશ થઈ. મારા વડે કહેવાયું – અરે ! પ્રસ્થાનભેરિ વગાડો. ચતુરંગ સેવાને સજ્જ કરો. તેમજ નિયુક્તો વડે કરાયું. ત્યારપછી સર્વબલથી હું ચાલ્યો. કનકચૂડ અને કતકશેખર મેં કહ્યું નહીં. કેવલ કનકમંજરીના વત્સલપણાને કારણે મણિમંજરી પ્રવૃત્ત થઈ. તેથી અનવરત પ્રયાણ વડે=સતત પ્રયાણ વડે, અમે જયસ્થલ આસન્ન પ્રાપ્ત થયા. મારા વડે શ્વાનર કહેવાયો. તે યદુત'થી બતાવે છે – હે મિત્ર ! સતત પ્રવૃત એવી મારી તેજસ્વિતા વટકના ઉપયોગની અપેક્ષા રાખતી નથી. તે કારણથી શું અહીં કારણ છે ? વૈશ્વાનર વડે કહેવાયું – હે કુમાર ! વિકૃત્રિમ ભક્તિગ્રાહ્ય અમે છીએ અને મારા ઉપર વૈશ્વાનર ઉપર, કુમારની અતુલ ભક્તિ છે અને મારા વીર્યથી પ્રભાવ આ ક્રૂરચિત નામનાં વડાંઓ ભક્તિવાળા પુરુષના શરીરમાં પ્રચાર પામે છે. તે કારણથી કુમારના શરીરમાં પ્રચારિત થયાં છે=જૂરચિત્ત વડાંઓ શરીરમાં પ્રવિષ્ટ છે અને તન્મયતાને પામ્યાં છે કુમારના શરીરરૂપ બન્યાં છે, વધારે શું કહું ? મારા રૂપવાળો જ=વૈશ્વાનરના રૂપવાળો જ, હમણાં વીર્યથી કુમાર વર્તે છે. અને બીજું – હે કુમાર ! મારા વચનના અનુભાવથી જ આ હિંસા હમણાં કુમારના સાત્મીભાવને પામેલી છે=અંગાંગીભાવને પામેલી છે, આમાં=હિંસાના અંગાગીભાવમાં, સંદેહ કરવો જોઈએ નહીં. મારા વડે કહેવાયું – હજી પણ સંદેહ છે?
___ यवनराजस्य पराजयो मृतिश्च ततो यावदेतावानावयोर्जल्पः संपद्यते स्म तावदर्शनवीथिमवतीर्णं परबलं, दृष्टमनेनाऽस्मदनीकं, ततस्तत्संनद्धमागतमभिमुखं, ततः संलग्नमायोधनम् । तच्च कीदृशम्?
યવનરાજાનો પરાજય અને મરણ તેથી જ્યાં સુધી આટલો આપણા બેનો જલ્પ પ્રવર્યો, ત્યાં સુધી દર્શતપથમાં પરબલ અવતીર્ણ થયું જયસ્થલ વગરની આજુબાજુ ઘેરીને રહેલું યવનરાજાનું સૈન્ય જોવાયું. આના દ્વારા અમારું સેચ જોવાયું યવન દ્વારા અમારું સૈન્ય જોવાયું. ત્યારપછી તેનું સૈન્ય અભિમુખ આવ્યું. ત્યારપછી યુદ્ધ શરૂ થયું. તે કેવું છે ? શ્લોક :
रथौघघघरारवं, गजेन्द्रगर्जदारुणम् । महाश्वहेषितोडुरं, पदातिशब्दभीषणम् ।।१।।