________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ
૪૦૯ प्रेष्यतां कुमाराऽऽह्वानाय प्रच्छन्न एव दूतः येन सर्वत्र शान्तिः संपद्यते । मतिधनेनाऽभिहितं एवं भवतु, ततः सर्वरोचकेन प्रहितोऽहमिति । तदिदं दूतवचनमाकोल्लसितो वैश्वानरः, भविष्यति मम चारुतरोऽवसर इति प्रहसिता हिंसा, मयाऽभिहितं-अरे! ताडयत प्रस्थानभेरिं, सज्जीकुरुत चतुरङ्गसेनां तथा कृतं नियुक्तैः, ततः सर्वबलेन चलितोऽहं, नाख्यातं कनकचूडकनकशेखरयोः, केवलं कनकमञ्जरीवत्सलतया प्रवृत्ता मणिमञ्जरी, ततोऽनवरतप्रयाणकैः प्राप्ता वयं जयस्थलाऽऽसन्ने, अभिहितो मया वैश्वानरो यदुत-वयस्य! सततप्रवृत्ता ममाऽधुना तेजस्विता नाऽपेक्षते वटकोपयोगं, तत्किमत्र कारणमिति? वैश्वानरेणाऽभिहितं-कुमार! निष्कृत्रिमभक्तिग्राह्या वयं, अतुला च ममोपरि कुमारस्य भक्तिः, मद्वीर्यप्रभवाणि चैतानि क्रूरचित्तानि वटकानि भक्तिमतामेव पुंसां शरीरे प्रचरन्ति, तेन प्रचारितानि कुमारस्य शरीरे, गतानि तन्मयतां, किम्बहुना? मद्रूप एवाऽधुना वीर्येण कुमारो वर्तते, अन्यच्च-कुमार! मदीयवचनाऽनुभावादेवेयमपि हिंसाऽधुना कुमारस्य प्रतिपन्ना सात्मीभावं, नात्र सन्देहो विधेयः । मयाऽभिहितं-अद्यापि सन्देहः? ।
વંગપતિએ કરેલ જયસ્થલમાં આક્રમણ અને નંદિવર્ધનનું ત્યાં ગમન અચદા જયસ્થલથી દારુક નામનો દૂત આવ્યો. મારા વડે=નંદિવર્ધત વડે, ઓળખાયો. આના વડે= દૂત વડે, નિવેદન કરાયું. તે આ પ્રમાણે – હે કુમાર ! મહત્તમ વડે મંત્રી વડે, હું મોકલાયો છું. મારા વડે વિચારાયું - કયા કારણથી આ દૂત, મંત્રી વડે મોકલાયો છે, વળી પિતા વડે નહીં. તેથી થયેલી શંકાવાળા મારા વડે આ દૂત, પુછાયો. વળી પિતાનું કુશલ છે? દારુક કહે છે – કુશલ છે, કેવલ વંગાધિપતિ યવન નામનો રાજા છે અને તેના આધ્યેથી મહાબલપણાથી ચારે બાજુથી નગર વિરુદ્ધ છે જયસ્થલ વગર વિરુદ્ધ છે. બહારનો વિષય નગરના બહારનું સ્થાન, સ્વીકારાયું છે. સ્થાનિકો અપાયાં છે. ભગ્ન પર્યાહાર છે તેનું નિરાકરણ કરવું દુષ્કર છે. કોઈ તેના નિરાકરણનો ઉપાય નથી. તેથી ક્ષીરસાગરગંભીર હદયવાળા પણ દેવ=નંદિવર્ધનના પિતા, થોડાક આકુલીભૂત છે. મંત્રીઓ વિશાદવાળા છે. મહત્તમો ઉન્મતીભૂત છે=લડવાથી વિમુખ થયા છે. નાગરિકો ત્રસ્ત છે. વધારે શું કહું? આમાં=વંગાધિપતિ વિશે, શું થશે ? તે હું જાણતો નથી. એ પ્રકારના વિતર્કથી સર્વ પણ દેવતા=ભાગ્યતા, શરણવાળું તે નગર થયું છે. તેથી મંત્રી અને મહત્તમો વડે કરાયેલા પર્યાલોચાવાળો સિદ્ધાંત સ્થાપિત કરાયો. તે સિદ્ધાંત “કુતથી બતાવે છે – જો વળી, નંદિવર્ધતકુમાર જ આ યવનહતકને દૂર કરી શકે છે, બીજો પુરુષ નહીં. તેથી મતિધન વડે કહેવાયું – આ પ્રમાણે રહેલું જ દેવને જણાવો. બુદ્ધિવિશાલ વડે કહેવાયું – આ દેવને જ્ઞાપનીય નથી=નંદિવર્ધનના પિતાને જણાવવા જેવું નથી. મતિધન પૂછે છે – આમા શું દોષ છે? બુદ્ધિવિશાલ વડે કહેવાયું – પુત્રની વત્સલતાથી દેવને રાજાને, કદાચ આવા પ્રકારના સંકટમાં નંદિવર્ધનનું આગમન રુચશે નહીં. તે કારણથી દેવને અજ્ઞાપન જ શ્રેય છે. પ્રજ્ઞાકર કહે છે – સુંદર, સુંદર, બુદ્ધિવિશાલ વડે ઘટમાન મંત્રણા કરાઈ. હે