________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૩૮૭ કહેવાયું. ત્યારપછી ત્યારપછી તેથી=સહર્ષમાં નંદિવર્ધન વડે ત્યારપછી ત્યારપછી એ પ્રમાણે કહેવાયું તેથી, જાણેલા મારા ભાવવાળા તેતલી વડે અહો પ્રિયાના નામના ઉચ્ચારણ મંત્રનું સામર્થ્ય એ પ્રમાણે વિચારીને અનુસંધાનથી આ કપિંજલાનું વચન કહેવાયું. અને તે કનકમંજરી, મારા સ્તનપાનથી સંવર્ધિત છે. તેથી મારા સર્વસ્વની જેમ, શરીરની જેમ, હૃદયની જેમ, જીવિતની જેમ તે કનકમંજરી સ્વરૂપથી=મારા સ્વરૂપથી, અવ્યતિરેક વર્તે છે મારા સ્વરૂપ જ છે. હમણાં તે વરાકી=રાંકડી, કામદેવથી પીડાય છે તેથી તેણીને-કમકમંજરીને કામદેવથી ભય છે. તે પરમાર્થથી મારો જ ભય છે, તે આ સાંભળીને ધારણ કરતા તેતલીથી તલવારને ખેંચીને “અરેરે બીજાને હેરાન કરનાર કામદેવ ! મારી પ્રિયા કનકમંજરીને મૂક મૂક, અથવા પુરુષ થા હે દુરાત્મન ! એવા હે કામદેવ ! હવે તારું જીવિત નથી', એ પ્રમાણે બોલતો હું નંદિવર્ધન, પથારીમાંથી વેગથી ઊઠ્યો. તેતલી વડે કહેવાયું – હે દેવ ! આ આવેગથી સર્યું, દયાવાળા દેવ હોતે છતે કનકમંજરી પ્રત્યે દયાવાળા દેવ હોતે છતે, કનકમંજરીને હતક એવા કામદેવથી અથવા અન્યથી ભયતો ગંધ પણ નથી. અને આ કથાનક છે=મારું કથન છે. આથી તેના શેષને પણ દેવ સાંભળો. તેથી તેના વચનથીeતેતલીના વચનથી, હું ફરી ચેતનાને પામ્યો. મલામ્ વિલક્ષીભૂત થયેલો શય્યાતલમાં બેઠો. તેતલી કહે છે – ત્યારપછી કપિંજલાએ પૂર્વમાં કહ્યું એ કહ્યું ત્યારપછી, મારા વડે તેટલી વડે, કહેવાયું. હે ભદ્ર કપિલા ! કયા નિમિત્તને પામીને તે કનકમંજરીમાં મદમહતક કામનું બાણ, પ્રભવ પામે છે. કપિંજલા વડે કહેવાયું – સાંભળ, અતીત દિવસમાં વધૂહરણનો પ્રસંગ થયો, દેવ એવા કનકચૂડને પરની સાથે વિભાકરની સાથે, મહાસંગ્રામ થયો, ત્યારપછી લબ્ધપતાકાવાળા એવા કનકચૂડ, કનકશેખર અને નંદિવર્ધનનો પ્રવેશ થયે છતે કુતૂહલવા વશથી હું કપિંજલા, ઘરથી નીકળીને હટમાર્ગમાં રહી. પ્રવેશ થયે છd=કાકચૂડ આદિનો નગરપ્રવેશ થયે છતે, સ્વામિની=મલયમંજરીના ભવનમાં ગઈ. અને ઉપરિત ભૂમિકામાં આરૂઢ થઈ અને ત્યાંsઉપરના માળમાં વાતાયનમાં વર્તતી રાજમાર્ગને અભિમુખ બહાર કાઢેલા વદનકમલવાળી, નિષ્પદ, મદ, સ્થિર, શૂન્યદૃષ્ટિવાળી, ચિત્રવિવ્યસ્ત જેવી, પર્વતથી ઘટિત જેવી, નિષ્પન્નયોગના જેવી, શાંત થયેલી છે અશેષ અંગ-પ્રત્યંગના ચલનની ચેષ્ટાજે એવી પરમયોગિની કનકમંજરી મારા વડે કપિલા વડે, જોવાઈ. ત્યારપછી આ શું છે? એ પ્રમાણે વિચારીને સંભ્રમપૂર્વક હે પુત્રી કનકમંજરી ! એ પ્રમાણે ફરી ફરી તેણીને કનકમંજરીને, હું બોલાવતી હતી. મંદભાગ્યપણાવાળી મને તેણી વડે પ્રત્યુતર અપાયો નહીં.
इतश्च तस्मिन्नवसरे तत्रासीत्कन्दलिका नाम दासदारिका, ततस्तां प्रति मयाऽभिहितं-भद्रे कन्दलिके! केन पुनर्हेतुना वत्सायाः कनकमञ्जर्या इयमेवंविधाऽवस्था संजातेति? कन्दलिकयाऽभिहितं-अम्ब! न सम्यग् लक्षयामि, केवलं यतः प्रभृति राजमार्गेऽवतीर्णो नन्दिवर्धनकुमारः, पतितो दृष्टिगोचरे भर्तृदारिकायाः, तत आरभ्येयं प्रमुदितेव, लब्धरत्नेव, अमृतसिक्तेव, महाभ्युदयप्राप्तेव अनाख्येयं किमपि रसान्तरमनुभवन्ती मया दृष्टाऽऽसीत् । यदा त्वतीतोऽसौ दृष्टिगोचरात् तदेयमीदृशीमवस्था प्राप्तेति । ततस्तदाकर्ण्य मरिष्यतीयमकृतप्रतीकारेति संचिन्त्य शोकविह्वलतया विहितो मया हाहारवः ।