________________
૩૭૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
ततस्तास्तादृशीर्वाचः, शृण्वतो मम मानसे ।
महामोहात्समुत्पन्नो, वितर्कोऽयमभूद् भृशम् ।।९।। શ્લોકાર્ચ -
તેથી તેવા પ્રકારની વાણી સાંભળતા મારા માનસમાં મહામોહથી ઉત્પન્ન થયેલો વિતર્ક અત્યંત થયો. ll૯ll શ્લોક :
ममायमीदृशो लोके, प्रवादोऽत्यन्तदुर्लभः ।
यः संजातो महानन्दहेतुरुन्नतिकारकः ।।१०।। શ્લોકાર્ચ -
લોકમાં આવા પ્રકારનો અત્યંત દુર્લભ મારો આ પ્રવાદ જે મહાઆનંદનો હેતુ, ઉન્નતિનું કારણ થયો. ll૧oll શ્લોક :
तस्या(त्रा)स्य कारणं तावद्वयस्यो हितकारकः ।
एष वैश्वानरोऽस्त्येव, नात्र सन्देहगोचरः ।।११।। શ્લોકાર્ચ - તેનું કારણ હિતકારક એવો આ વૈશ્વાનરમિત્ર છે જ એમાં સંદેહનો વિષય નથી. II૧૧TI શ્લોક :
तथापि प्रियया नूनं, ममेदं हन्त हिंसया ।
सर्वं संपादितं मन्ये, कृतमालोकनं यया ।।१२।। શ્લોકાર્ચ -
તોપણ ખરેખર મારી આ હિંસારૂપ પત્નીથી આ સર્વ સંપાદન થયું છે એમ હું માનું છું, જેના વડે જે હિંસા વડે, આલોકન કરાયું યુદ્ધકાળમાં જે હિંસા વડે મારી સખ જોવાયું, તેનાથી આ સર્વ સંપાદન કરાયેલું છે એમ હું માનું છું એમ અન્વય છે. II૧ચા
શ્લોક :
अहो प्रभावो हिंसाया, अहो मय्यनुरक्तता । अहो कल्याणकारित्वमहो सर्वगुणाढ्यता ।।१३।।