________________
૩૩૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
અહીં=સંસારમાં, રાગાદિનો નિગ્રહ પણ તત્ત્વાભ્યાસમાં પરાયણ, અપમાદમાં તત્પર એવા પુરુષો વડે કરવા માટે શક્ય છે, મારા જેવા પુરુષો વડે નહીં. ll૧૮ શ્લોક :
साधर्मिकानुरागस्तु, यो भदन्तेन साधितः ।
स कदाचिद्विधीयेत, मादृशैरपि जन्तुभिः ।।१९।। શ્લોકાર્થ :
વળી, સાધર્મિક અનુરાગ જે ભગવાન વડે કહેવાયો તે મારા જેવા જીવો વડે પણ કદાચિત્ કરી શકાય. ll૧૯ll શ્લોક :
तदत्र यत्नः कर्तव्यो, यथाशक्ति मयाऽधुना ।
યતઃ સીરમનુષ્ઠ, નરેના દિમછતા પારના શ્લોકાર્ચ -
તે કારણથી અહીં-સાધર્મિક અનુરાગમાં, યથાશક્તિ મારા વડે હવે યત્ન કરવો જોઈએ જે કારણથી હિતને ઈચ્છતા પુરુષ વડે કલ્યાણને ઈચ્છતા પુરુષ વડે, સાર અનુષ્ઠાન સેવવું જોઈએ.
મહાત્માએ જે ચાર સાર કહ્યા તેમાંથી મારા જેવાને શક્ય એવો સાધર્મિકનો અનુરાગ સેવવો જોઈએ. li૨૦ના શ્લોક :
एवं निश्चित्य चित्तेन, वन्दित्वा तं मुनीश्वरम् ।
प्रवर्धमानसंवेगस्ततोऽहं गृहमागतः ।।२१।। શ્લોકાર્ચ -
આ પ્રમાણે ચિત્તથી નિશ્ચય કરીને તે મુનીશ્વરને વંદન કરીને પ્રવર્ધમાન સંવેગવાળો એવો હું ત્યારપછી ઘરે આવ્યો. ર૧II.
બ્લોક :
इतश्चैकसुतत्वेन, जीवितादपि वल्लभः । अहं तातस्य सर्वत्र, यथेच्छाकरणक्षमः ।।२२।।