________________
૩૩૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩] તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્થ :
આ બાજુ એકપકપણું હોવાને કારણે પિતાનો હું એક પુત્ર હોવાને કારણે, તાતને જીવિતથી પણ વલ્લભ એવો હું સર્વત્ર ઈચ્છા પ્રમાણે કરવા સમર્થ હતો. રિરા
साधर्मिकवात्सल्यारंभः
શ્લોક :
विनयं राजनीतिं च, अनुवर्तयता मया । तथापि तातः प्रच्छन्ने, प्रार्थितो नतया गिरा ।।२३।।
સાધર્મિક વાત્સલ્યનો આરંભ શ્લોકાર્થ :
તોપણ રાજાની મને સર્વ કરવાની અનુજ્ઞા હતી તોપણ, પ્રચ્છન્નમાં ગુપ્તમાં, નમેલી વાણી વડે વિનયને અને રાજનીતિને અનુવર્તન કરતા મારા વડે પિતા પ્રાર્થના કરાયા. ર૩ શ્લોક :
તથાकरिष्येऽहं यथाशक्ति, वात्सल्यं जैनधर्मिणाम् ।
तात! तत् कुर्वतो यूयमनुज्ञां दातुमर्हथ ।।२४।। બ્લોકાર્ધ :
તે આ પ્રમાણે – હું યથાશક્તિ જૈન ધર્મીઓના વાત્સલ્યને કરીશ. હે તાત! તેને કરતા એવા મને તમે અનુજ્ઞા આપવા માટે યોગ્ય છો. Il૨૪ll શ્લોક :
इतश्चमत्सङ्गेनैव तातोऽपि, भद्रको जिनशासने । ततः सा मामिका तस्य, प्रार्थना रुचिरामता ।।२५।।
શ્લોકાર્ચ -
આ બાજુ મારા સંગથી જ પિતા પણ જિનશાસનમાં ભદ્રક થયેલ તેથી તે મારી પ્રાર્થના તેમને પિતાને, સુંદર સ્વીકારાઈ. રિપો