________________
૨૦૧
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
राजमन्त्रिमनीषिणां धर्मगोष्ठी
सखे! युष्मदनुभावजन्येयमस्मादृशां कल्याणपरम्परा येनोत्साहितोऽहं भवता भगवद्वन्दनाय । રાજા, મંત્રી અને મનીષીની ધર્મચર્ચા
હે સખે !=હે મિત્ર ! તમારા અનુભાવજન્ય અમારા જેવાની આ કલ્યાણપરંપરા છે જે કારણથી ભગવાનના વંદન માટે તારા વડે હું ઉત્સાહિત કરાયો.
શ્લોક ઃ
તથાદિ
विलोकितो मया नाथो, जगदानन्ददायकः । भक्तिनिर्भरचित्तेन, वन्दितो भुवनेश्वरः । । १ । ।
શ્લોકાર્થ :
તે આ પ્રમાણે=મારા વડે જે કલ્યાણની પરંપરા પ્રાપ્ત કરાઈ તે આ પ્રમાણે છે. મારા વડે નાથ જગતના આનંદને દેનારા જોવાયા, ભક્તિથી નિર્ભર એવા ચિત્તથી ભુવનેશ્વર વંદન કરાયા. IIII શ્લોક ઃ
दृष्टः कल्पद्रुमाकारः, स सूरिर्वन्दितो मुदा ।
लब्धो भागवतो धर्मः, संसारोच्छेदकारकः ।।२।।
શ્લોકાર્થ :
કલ્પદ્રુમના આકારવાળા તે સૂરિ જોવાયા, આનંદથી વંદન કરાયા, સંસારના ઉચ્છેદને કરનારો ભાગવત ધર્મ પ્રાપ્ત કરાયો=સૂરિના પ્રસાદથી સમ્યક્ત્વપૂર્વક દેશવિરતિધર્મ જે રાજાને પ્રાપ્ત થયો તે સંસારના ઉચ્છેદને કરનારો છે, મહાકલ્યાણની પરંપરાને કરનારો છે તે સ્વરૂપે ધર્મને જાણીને રાજા તે ભાવથી મંત્રીને કહે છે. આવો ધર્મ મારા વડે પ્રાપ્ત કરાયો. IIII
શ્લોક ઃ
जातश्चेदृशरूपेण, नररत्नेन मीलकः ।
कृतश्चानेन सर्वेषामस्माकं हृदयोत्सवः ।।३।।
શ્લોકાર્થ :
આવા સ્વરૂપવાળા નરરત્ન સાથે=અત્યંત નિઃસ્પૃહી એવા મનીષીરૂપ નરરત્નની સાથે મેળાપ થયો. આના વડે=મનીષી વડે, સર્વ પણ અમારા હૃદયનો ઉત્સવ કરાયો. II3II