________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
૨૭૫ भोजनकार्यक्रमः तत्र च सुबुद्धिसम्बन्धिनि विरचनाचारुतया चित्तनिर्वाणकारिणि जिनमन्दिरे मार्गानुसारितया परमार्थतः सकलकालहृदयवर्तिनोऽपि विशेषतस्तद्दिन एव प्रबोधनरतिसूरिपादप्रसादोपलब्धस्वरूपस्य सकलनिष्कलावस्थस्य भगवतः परमात्मनो रागद्वेषविषापहरणकरणचतुरमनुस्मृतमर्हतः स्वरूपम् । ततो निर्गत्य विरलविरलाप्तपरिजनः पूर्वोपकल्पिताशेषभोजनोपकरणसामग्रीसनाथं प्राप्तो भोजनमण्डपं, तत्र च विरचितानेकाकारे चित्तरसनोत्सवकारिणि भक्ष्यपेयाद्याहारविस्तारे नृपतिना स्वयमुपदिश्यमानमभिमतरसास्वादनं तदनुरोधेन विदधानो निरभिष्वङ्गतया वर्धमानस्वास्थ्यातिरेको निर्वतयामास भोजनमिति । ततो गृहीतपञ्चसुगन्धिकोन्मिश्रताम्बूले मलयजमृगनाभिकश्मीरजक्षोदाङ्गरागे, विन्यस्तप्रवरभूषणे, दिव्यांशुकाच्छादितशरीरे, माल्यविच्छित्तिसौरभाकृष्टहष्टचञ्चरीके, अध्यासितमहार्हसिंहासने, प्रणतासंख्यमहासामन्तकिरीटांशुजालरञ्जितचरणे, उद्दामबन्दिस्तूयमानयथावस्थितगुणसन्दोहे दत्तास्थाने मनीषिणि हर्षातिरेकनिर्भरो राजा सुबुद्धिं प्रत्याह
ભોજનનો કાર્યક્રમ અને ત્યાં સુબુદ્ધિ સંબંધી વિરચનાના સુંદરપણાને કારણે ચિત્તની શાંતિ કરનાર એવા જિનમંદિરમાં માર્ગાનુસારીપણાથી પરમાર્થથી સકલકાલ હદયવર્તી પણ વિશેષથી તે દિવસે જ પ્રબોધરતિસૂરિના પાદપ્રસાદથી પ્રાપ્ત થયેલા સ્વરૂપવાળા, સકલ-નિષ્કલ અવસ્થાવાળા ભગવાન પરમાત્માનું રાગદ્વેષતા વિષને હરણ કરવામાં ચતુર એવા અરિહંતના સ્વરૂપનું સ્મરણ કરાયું. ત્યારપછી નીકળીને=ભગવાનની ભક્તિ કર્યા પછી જિનાલયથી નીકળીને, વિરલ-વિરલ પરિજનવાળો એવો પૂર્વોપકલ્પિત અશેષ ભોજન ઉપકરણની સામગ્રીથી યુક્ત એવા ભોજનમંડપને પ્રાપ્ત કર્યું. અને ત્યાં=ભોજનમંડપમાં, વિરચિત અનેક આકારવાળા ચિત્ત અને રસનાના ઉત્સવ કરનારા ભક્ષ્ય, પેય, આહારાદિતા વિસ્તારમાં રાજા દ્વારા સ્વયં આગ્રહ કરાતા અભિમત રસાસ્વાદને=આહારભોજનાદિને, તેમના અનુરોધથી કરતો રાજા આદિના આગ્રહથી કરતો, નિરભિળંગપણાને કારણે=ભોજનકાળમાં પણ અનાસક્ત ભાવપણાને કારણે, વર્ધમાન સ્વાથ્યના અતિરેકવાળા=ભોગની લાલસા નષ્ટ પ્રાયઃ થયેલી હોવાથી અંતરંગ નિરાકુળ સ્વભાવમાં સ્થિર થવા સ્વરૂપ વર્ધમાન સ્વાથ્યના અતિરેકવાળા, મનીષીએ ભોજન કર્યું. ત્યારપછી ગ્રહણ કરેલા પંચસુંગધીથી ઉત્મિશ્રિત તાંબુલવાળો, ચંદન, કસ્તૂરી, કેસર વડે શરીર વિલેપન કરાયું છે જેનું એવો, વિચસ્ત=સ્થાપન કરેલા, પ્રવરભૂષણવાળો. દિવ્યવસ્ત્રથી આચ્છાદિત શરીરવાળો, માળાઓના વિસ્તાર પામતા સૌરભથી આકૃષ્ટ એવા ભમરાઓ આજુબાજુ ફરે છે જેને એવા, મોટા કીમતી સિંહાસન પર બેઠેલ, નમતા અસંખ્ય મોટા સામંતોના મુગટનાં કિરણોનાં જાળાંઓથી રંજિત ચરણવાળો, ઉદ્દામ એવા બંદી લોકોથી સ્તુતિ કરાતા યથાવસ્થિત ગુણના સમૂહવાળો, હર્ષના અતિરેકથી નિર્ભર રાજા સુબુદ્ધિને કહે છે –