________________
૨૭૪
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ / તૃતીય પ્રસ્તાવ શ્લોક :
तत्र च गतस्य तस्यभ्रातुः सूनोरिवात्यन्तवल्लभस्य सगौरवम् ।
कृतं मदनकन्दल्या, शरीरपरिमार्जनम् ।।२१।। શ્લોકાર્ચ -
અને ત્યાં સ્નાનગૃહમાં, ગયેલા એવા તેને અત્યંત વલ્લભ એવા ભાઈના પુત્રની જેમ ગૌરવપૂર્વક મદનકંદલી વડે શરીરનું પ્રમાર્જન કરાયું. ll૧૧|| શ્લોક :
शेषान्तःपुरनारीभिर्व्यग्राभिः स्नानकर्मणा ।
रराज पेशलालापचारुभिः परिवारितः ।।२२।। શ્લોકાર્થ :
સ્નાનક્રિયા વડે વ્યગ્ર, સુંદર આલાપથી ચારુ એવી શેષ અંતઃપુરની નારીઓ વડે પરિવરેલો એવો મનીષી શોભવા લાગ્યો. રા શ્લોક :
वज्रेन्द्रनीलवैडूर्यपद्मरागादिरोचिषा ।
रञ्जिते यन्त्रवापीनां, ममज्ज विमले जले ।।२३।। શ્લોકાર્ચ -
વજરત્ન, ઈન્દ્રનીલ, વૈડૂર્ય, પદ્મરાગાદિનાં કિરણોથી રંજિત યંત્રવાપીઓના નિર્મલ જલમાં મજ્જન કરાયું-મનીષી વડે મજ્જન કરાયું. [૨૩] શ્લોક :
ततो भुजगनिर्मोकसूक्ष्मशुक्ले सुवाससी ।
परिधाय गतो देवभवनं सुमनोहरम् ।।२४।। શ્લોકાર્ચ -
ત્યારપછી ભુજગનિમક સર્પની કાંચળી જેવાં સૂક્ષ્મ એવાં શુક્લ સુંદર બે વસ્ત્રોને પરિધાન કરીને સુમનોહર એવા દેવભવનમાં ગયો મનીષી ગયો. ર૪ll