________________
૨૭૩
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
सद्धर्मे पक्षपातं च, देहिनामात्मचेष्टितैः ।
जनयञ्जनितानन्दो, विचचार पुरेऽखिले ।।१६।। શ્લોકાર્ય :
અને તેથી સ્ત્રીઓનાં નયનને આનંદને કરતો, અર્થઅભિલાષી જીવોને મહાદાન કરતો, દેવરૂપતાને ધારણ કરતો મનીષી પોતાની ચેષ્ટાઓ વડે દેહધારી જીવોને સદ્ધર્મમાં પક્ષપાતને ઉત્પન્ન કરતો, ઉત્પન્ન થયેલા આનંદવાળો–સંયમ ગ્રહણ કરીને હું સંસારસાગરથી તરીશ એ પ્રકારના ઉત્તમચિત્તને કારણે ઉત્પન્ન થયેલા આનંદવાળો, આખા નગરમાં વિચરે છે=રાજા દ્વારા નગરમાં ફેરવાય છે. II૧૫-૧૬ શ્લોક :
ततो महाविमर्दैन, सम्प्राप्तो राजमन्दिरम् ।
रत्नराशिप्रभाजालैः, सदा बर्वेन्द्र कार्मुकम् ।।१७।। શ્લોકાર્ચ -
ત્યારપછી આ રીતે લોકોને આનંદ આપતો મનીષી નગરમાં ફરે છે ત્યારપછી, મોટા વિમર્દથી= મોટા મહોત્સવથી, રત્નરાશિની પ્રજાનાં જાળાંઓથી બાંધેલા ઈન્દ્રધનુષવાળા એવા રાજમંદિરને મનીષીએ પ્રાપ્ત કર્યું. ll૧૭ના શ્લોક :
तत्र चाशेषराजादिलोकसन्मानमानितः । सकामकामिनीवृन्दलोललोचनवीक्षितः ।।१८।। गीतनृत्यप्रबन्धेन, सोऽमरालयविभ्रमे । देवराजवदास्थानं, दत्त्वा निःशङ्कमानसः ।।१९।। ततो विलीनरागोऽपि, नृपतेस्तोषवृद्धये ।
उत्थाय मज्जनस्थानं, जगाम गतविस्मयः ।।२०।। શ્લોકાર્ધ :
અને ત્યાં રાજમંદિરમાં, અશેષરાજાદિ લોકના સન્માનથી માન અપાયેલો, સકામ ઈચ્છાપૂર્વક સ્ત્રીઓના વંદના ચકળવકળ લોચનથી જોવાયેલો, તે=મનીષી, ગીત-નૃત્યના પ્રબંધથી દેવલોકના સ્થાનનો વિભ્રમ થયે છતે, દેવરાજાની જેમ ઈન્દ્રની જેમ, આસ્થાનને આપીને નિઃશંક માનસવાળો, તે વિલીનરાગવાળો પણ=પ્રસ્તુત મહોત્સવમાં નિર્લેપચિત્તવાળો મનીષી પણ, રાજાના તોષની વૃદ્ધિ માટે ઊઠીને ગતવિસ્મયવાળો ન્હાવાના સ્થાને ગયો. ૧૮-૧૯-૨૦ll