________________
૨૬૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોકાર્ધ :
અને ત્યાં સ્નાન કરાયેલા, શુભવઅવાળા, મુગટ અને બાજુબંધને ધારણ કરનાર, ગોશીર્ષ ચંદનથી વિક્ષેપિત કરાયેલા ગાત્રવાળા, હારોથી શોભિત વક્ષસ્થલવાળા, કુંડલથી ઉદ્ભાસિત ગંડસ્થલવાળા, શક્રઆકારને અનુસરનાર, બહારમાં શાંત થયા છે વિકાર જેના, નિર્મલ થયેલા ચિત્તવાળા (મનીષીને) આ અમારો મહત્તમ છે, આ જ અમારો નાયક છે, આ જ મહાભાગ છે, આ જ પૂજિત છે, જેના વડે=જે મનીષી વડે, દુષ્કર પણ ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા ઈચ્છાય છે આ પ્રમાણે બોલતા રાજા વડે મનીષીને સત્ તીર્થના પાણીથી ભરેલો, સુવર્ણનો સોનાનો, મનોહર, સદ્ધર્મના સારથી પૂર્ણ એવા મુનિના માનસ સમાન, ગોશીષ ચંદનાથી મિશ્રિત, દિવ્ય કમળોથી ઢંકાયેલા મુખવાળો, ચારે બાજુ ઉજ્જવલ-સુંદર ચંદનના તિલકો વડે અર્ચિત ભવનો છેદ કરનાર એવો (દિવ્યકુંભ) સ્નાત્ર કરનારપણા વડે પ્રથમ સ્નાત્રમાં સ્થાપન કરીને-મનીષીને પ્રથમ સ્નાત્રમાં સ્થાપન કરીને, હર્ષથી અભિષેક માટે દિવ્યકુંભ સમર્પણ કરાયો=રાજા વડે મનીષીને દિવ્યકુંભ સમર્પિત કરાયો. ll૧પથી ૨૧TI શ્લોક :
आनन्दपुलकोइँदं, दधानो भक्तिनिर्भरः ।
जग्राह नृपतिः कुम्भं, स्वयमेव द्वितीयकम् ।।२२।। શ્લોકાર્ચ -
આનંદથી પુલકના ઉભેદનેત્રરોમાંચને ધારણ કરતો, ભક્તિનિર્ભર=ભક્તિથી ભરેલા, એવા રાજાએ સ્વયં બીજો કુંભ ગ્રહણ કર્યો. રિશી શ્લોક :
તથા મધ્યમવૃદ્ધિ, સ(?)પુત્રઃ સ સુનો નઃ |
कृतौ भुवननाथस्य, स्नात्रकारणतत्परौ ।।२३।। શ્લોકાર્ચ -
તથા મધ્યમબુદ્ધિ અને સ્વપુત્ર=પોતાનો પુત્ર, સુલોચન, ભુવનનાથના=પરમાત્માના, સ્નાત્રને કરાવવામાં તત્પર કરાયા. ll૨૩il
શ્લોક :
चन्द्रोद्योतच्छटाच्छेन, चामरेण विभूषिता । स्थिता त्रिलोकनाथस्य, पुरो मदनकन्दली ।।२४।।