________________
૨૬૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ શ્લોકાર્ચ -
ચંદ્રના ઉધોતની છટા જેવા સ્વચ્છ ચામર વડે વિભૂષિત મદનકંદલી ત્રિલોકનાથની આગળ ઊભી રહી. ર૪ll શ્લોક :
द्वितीया स्थापिता राज्ञा, तस्याश्चामरधारिणी ।
देवी पद्मावती नाम, तदाकारानुकारिणी ।।२५।। શ્લોકાર્ચ -
રાજા વડે તેણીની બીજી=મદનકંદલીની બીજી ચામર ધારણ કરનારી, તેના આકારને અનુકરણ કરનારી મદનકંદલીના આકારને ધારણ કરનારી, પદ્માવતી દેવી ઊભી રખાઈ રાજા વડે ભગવાનની એક બાજુ મદનકંદલી ચામરને લઈને ઊભી રખાઈ, બીજી બાજુ પદ્માવતી દેવી ઊભી રખાઈ એમ અન્વય છે. રિપો શ્લોક :
धूपभाजनमादाय, गाढं भावितमानसः ।
सुबुद्धिर्वर्धितानन्दः, स्थितोऽग्रे पिहिताननः ।।२६।। શ્લોકાર્થ :
ધૂપના ભાજનને ગ્રહણ કરીને અત્યંત ભાવિત માનસવાળો, વર્ધિત આનંદવાળો સુબુદ્ધિમંત્રી આગળમાંeભગવાનની સન્મુખ બાંધેલા મુખવાળો ઊભો રહ્યો. રિકી શ્લોક :
तेनैव राजादिष्टेन, शेषकर्मसु सादरम् । ये ये श्रेष्ठतमा लोकास्ते ते सम्यङ् नियोजिताः ।।२७।।
શ્લોકાર્ચ - રાજાથી આદિષ્ટ તેના વડે જ સુબુદ્ધિ મંત્રી વડે જ, આદરપૂર્વક શેષકમમાં=ભગવાનની ભક્તિનાં શેષ કાર્યોમાં, જે જે શ્રેષ્ઠ લોકો છે તે તે સમ્યફ નિયોજન કરાયા. ll૨૭મી
શ્લોક :
યત:त एव कृतिनो लोके, ते जातास्ते समुन्नताः । ते कलालापविज्ञानशालिनस्ते महाधनाः ।।२८।।