________________
૨૦૦
ઉપમિતિભવપ્રપંચો કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
શ્લોક :
सद्भावोऽप्यथवा नाथ! भवतैवावबुध्यते ।
तदस्य करुणां कृत्वा, विधातव्यो भवे भवे ।।४३।। શ્લોકાર્ચ -
અથવા હે નાથ ! સભાવ પણ તમારા વડે જણાય છે તમારા પ્રત્યેનો મારો સદ્ભાવ જણાય છે. તે કારણથી આની કરુણા કરીને દરેક ભવમાં સંસારના ઉચ્છેદન કરનારી આત્મામાં નિશ્ચલભક્તિ કરવી જોઈએ. ll૪૩. શ્લોક :
संस्तुत्यैवं जगन्नाथमुत्थाय जिनमुद्रया । विधाय वन्दनं भूयः, पञ्चाङ्गनमनादिकम् ।।४४।। तदन्ते प्रणिधानं च, मुक्ताशुक्त्याऽतिसुन्दरम् । कृत्वा कृतार्थमात्मानं, मन्यमानः सुकर्मणा ।।४५।। सूरेः पादयुगं सिञ्चन्नानन्दोदकबिन्दुभिः ।
वन्दनं द्वादशावर्त, स ददौ दोषसूदनम् ।।४६।। त्रिभिर्विशेषकम् । શ્લોકાર્ચ -
આ પ્રમાણે જગતનાથની સ્તુતિ કરીને. ઊઠીને જિનમુદ્રાથી પંચાગનમનાદિક વંદનને ફરી કરીને તેના અંતમાં મુક્તાશક્તિથી અતિસુંદર પ્રણિધાન કરીને સુકર્મ દ્વારા આત્માને=પોતાને કૃતાર્થ માનતા આનંદના અશ્રુબિંદુઓ વડે સૂરિના પાદયુગને સિંચન કરતા મંત્રીએ દોષને નાશ કરનાર દ્વાદશાવર્ત વંદનને કર્યું. ll૪૪-૪૫-૪૬ll શ્લોક -
कृतसामायिकोऽशेषसाधूनानम्य भक्तितः ।
अवाप्तधर्मलाभोऽसौ, निषण्णः शुद्धभूतले ।।४७।। શ્લોકાર્ચ -
કૃતસામાયિકવાળો ભક્તિથી અશેષ સાધુઓને નમીને પ્રાપ્ત કરેલા ધર્મલાભવાળો આ=મંત્રી, શુદ્ધભૂતલમાં બેઠો. l૪૭ના શ્લોક :
पृष्टसूरितनूदन्ते, सुबुद्धौ तत्र मन्त्रिणि । अथाचार्या विशेषेण, चक्रिरे धर्मदेशनाम् ।।४।।