________________
૧૪૬
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ
वसन्तस्वरूपम् શ્લોક :
एवं च तिष्ठतां तेषां, बालमध्यमनीषिणाम् । अथान्यदा समायातो, वसन्तः कृतमन्मथः ।।४१।।
વસંતઋતુનું સ્વરૂપ શ્લોકાર્ચ -
અને આ રીતે=બાલ પોતાની ઈચ્છાનુસાર પ્રવૃત્તિ કરે છે મધ્યબુદ્ધિ અને મનીષી પોતાની બુદ્ધિ અનુસાર પ્રવૃત્તિ કરે છે એ રીતે, તે બાલ, મધ્યમ, મનીષી રહે છતે હવે, અન્યદા કર્યો છે કામનો વિકાર જેણે એવો વસંત આવ્યો. ૪૧ શ્લોક :
संजाताः काननाभोगाः, सुमनोभरपूरिताः ।
भ्रमभ्रमरझङ्कारतारगीतमनोहराः ।।४२।। શ્લોકાર્ચ -
ભમતા ભમરાઓના ઝંકારના તારના ગીતથી મનોહર સુંદર સુંગધથી પૂરિત, બગીચાઓ થયા. II૪૨II શ્લોક :
कामिनीहृदयानन्ददायकं प्रियसन्निधौ ।
विजृम्भते वनान्तेषु, केकिकोकिलकूजितम् ।।४३।। શ્લોકાર્થ :
પ્રિયની સમીપમાં સ્ત્રીઓના હૃદયને આનંદ આપનાર મોર અને કોયલના કૂજિત=અવાજ, વનની અંદર=બગીચાઓમાં વિલાસ કરે છે. ll૪૩ શ્લોક :
प्रोत्फुल्लकिंशुकाग्रेषु, पुष्पभारोऽतिरक्तकः ।
वियोगदलितस्त्रीणां, पिशितप्रकरायते ।।४४।। શ્લોકાર્ચ -
ખીલેલા કિંશુક વૃક્ષના અગ્રભાગમાં અતિશય લાલ રંગવાળો પુપનો ભાર વિયોગથી દલિત થયેલી સ્ત્રીઓને પીડાના જેવું આચરણ કરે છે. ll૪૪ll