________________
૭૪
શ્લોક ઃ
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
त्वयि संजातविश्रम्भो, येनायं राजदारकः ।
सुखं विवर्द्धमानोऽपि प्रयाति मम वश्यताम् ।। २१ ।।
શ્લોકાર્થ :
જે કારણથી તારામાં પ્રાપ્ત થયેલા વિશ્વાસવાળો આ રાજપુત્ર સુખપૂર્વક વધતો પણ મારી વશ્યતાને પ્રાપ્ત કરે. II૨૧II
શ્લોક ઃ
ततो निक्षिप्य निःशेषमात्मीयं ज्ञानकौशलम् ।
सुपात्रेऽत्र भविष्यामि, कृतकृत्योऽहमञ्जसा ।। २२ ।।
શ્લોકાર્થ ઃ
તેથી નિઃશેષ પોતાનું જ્ઞાનકૌશલ્ય આ સુપાત્રમાં નિક્ષેપ કરીને=આ રાજપુત્ર રૂપ સુપાત્રમાં નિક્ષેપ કરીને, હું શીઘ્ર કૃતકૃત્ય થઈશ. I॥૨૨॥
શ્લોક ઃ
ततो यदादिशत्यार्य ! इत्युक्त्वा नतमस्तका । प्रज्ञाविशाला तद्वाक्यमनुतस्थौ कृतादरा ।। २३ ।।
શ્લોકાર્થ :
તેથી હે આર્ય ! જે જે આદેશ કરો છો, એ પ્રમાણે કહીને=જે આદેશ કરો છો તે હું કરીશ એ પ્રમાણે કહીને નતમસ્તકવાળી, કૃત આદરવાળી પ્રજ્ઞાવિશાલાએ તેમના વાક્યને કર્યું=તેમના વચનનું અનુસરણ કર્યું. ।।૨૩।।
શ્લોક ઃ
अथासौ भव्यपुरुषस्तां धात्रीं प्राप्य सुन्दराम् ।
ललमानः सुखेनाऽऽस्ते, देववद्दिवि लीलया ।।२४।।
શ્લોકાર્થ ઃ
હવે, તે સુંદર ધાત્રીને પ્રાપ્ત કરીને આ ભવ્યપુરુષ દેવલોકના દેવની જેમ લીલાથી રમતો સુખે રહે છે. II૨૪II