________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવના
શ્લોક :
ततो दुर्जनवर्गोऽस्याः, श्रवणं नाप्तुमर्हति ।
कालकूटविषं नैव, युज्यतेऽमृतबिन्दुना ।।१०२।। શ્લોકાર્ય :
તે કારણથી=પૂર્વ શ્લોકમાં કહ્યું એ પ્રકારે સાર બિંદુભૂત છે તે કારણથી, દુર્જનવર્ગ આ કથાના શ્રવણને પામવાને યોગ્ય થતો નથી, કાલકૂટ વિષ અમૃતબિંદુ સાથે જોડાતું નથી જ. ll૧૦૨ા. શ્લોક :
अतो दुर्जनवर्गस्य, नेह दोषविचारणम् ।
क्रियते पापकारिण्या, पापानां कथयाऽप्यलम् ।।१०३।। શ્લોકાર્ચ -
આથી અહીંપ્રસ્તુત કથામાં, દુર્જનવર્ગની દોષવિચારણા કરાતી નથી, પાપીઓની પાપકારિણી કથા વડે પણ સર્યું. ll૧૦૩ll બ્લોક :
स्तुतोऽपि दुर्जनः काव्ये, दोषमेव प्रकाशयेत् ।
निन्दितस्तु विशेषेण, युक्ताऽतोऽस्यावधीरणा ।।१०४ ।। શ્લોકાર્ચ -
સ્તુતિ કરાયેલો પણ દુર્જન કાવ્યમાં દોષને જ પ્રકાશન કરે, નિંદા કરાયેલો તે વિશેષથી દોષને પ્રકાશન કરે, આથી આની ઉપેક્ષા યોગ્ય છે. ll૧૦૪ll.
અથવા=અથવા,
શ્લોક :
निन्दायामात्मदौर्जन्यं, स्तवेऽप्यनृतभाषणम् ।
भवेद् दुर्जनवर्गस्य, ततो युक्ताऽपकर्णना ।।१०५ ।। શ્લોકાર્ચ -
દુર્જનવર્ગની નિંદામાં આત્મદૌર્જન્ય થાય અને સ્તવમાં અસત્ય ભાષણ થાય, તેથી ઉપેક્ષા યોગ્ય છે. II૧૦પII