________________
સમર્પણ
संशोधने व्यस्तकरारविन्दं, सत्त्वोपकारे रतहृत्सरोजम् । मेधाविपङ्क्यचितपादपद्मं वन्दे सदा श्रीमुनिचन्द्रसूरिम् ॥
પરમોપકારી, પથદર્શક, પ્રતિસમયાવિસ્મરણીય, સંશોધનપ્રેમી, કરૂણાનિધિ પ.પૂ.આ.ભ. શ્રીમુનિચન્દ્રસૂરીશ્વરજી મહારાજા !
અમારા જેવા અજ્ઞાની જીવો પર કરૂણાદષ્ટિ કરી. આપના અમૂલ્ય સમયનો ભોગ આપી સતત-સતત પ્રેરણા પ્રોત્સાહન અને માર્ગદર્શન દ્વારા આપશ્રીએ જ આ માર્ગે અમને પા-પા પગલી મંડાવી. અને હંમેશ જ્ઞાનમાર્ગમાં આગળ વધારવા માટેના પ્રયત્નો પણ આપશ્રીએ જ કર્યા.
જ્યારે જ્યારે અમારો ઉત્સાહ મંદ પડ્યો. ત્યારે ત્યારે આપશ્રીએ જ ઉત્સાહવર્ધક વાક્યો દ્વારા અમારા ઉત્સાહને વધારવાનું કામ કર્યું.
આપશ્રીની જ કૃપાદૃષ્ટિ અને આશિર્વાદનું આ ફળ
છે.
આપશ્રીના ૫૦ વર્ષના સંયમપર્યાય નિમિત્તે આપના હસ્તારવિંદમાં આપનું જ આપને અર્પણ - સમર્પણ કરતા અમે ધન્યતા અનુભવીએ છીએ.
લિ. કૃપાકાંક્ષી કુલશિશુ