________________
४७१
પષ્ટ:
त्वं धरित्रि ! भव द्वैधं, पवन ! त्वं गृहाण माम् । दूरं जीवित ! गच्छ त्वं, प्राणास्त्यजत मां लघु ॥१९०॥ इति भीमसुता वृक्षान्, सिञ्चन्ती नयनोदकैः । स्वयं तेनेऽश्रुपुष्पाणि, दुःखमेकं फलं परम् ॥१९१॥ न जले न स्थले नैव, छायायामातपे न च । लवोऽपि हि सुखस्याऽभूच्चिन्तयन्त्या नलं नलम् ॥१९२।। स्वं संस्थाप्य स्वयं वस्त्रान्तेन वक्त्रममार्जयत् । तत्राक्षराणि संवीक्ष्य, मुदिताऽवाचयत् ततः ॥१९३।।
કરે છે કે મારા ઉપર કૃપા કરી મારો સ્વામી બતાવો અથવા સ્વામીનો માર્ગ બતાવો. (૧૮૯).
હે વસુધા ! તું દ્વિધા થઈ જા, એટલે હું તેમાં સમાઈ જાઉં. પવન ! તું મને હરણ કરી લે. હે જીવિત ! તું હવે દૂર જા અને તે પ્રાણો ! તમે હવે સત્વર મારો ત્યાગ કરો.” (૧૯૦)
આ પ્રમાણે નયનજલથી વૃક્ષોને સીંચતી દવદંતી અશ્રપુષ્પોને વિસ્તારવા લાગી. પણ તેનું ફલ તો આ દુ:ખરૂપ જ ઉત્પન્ન થયું.” (૧૯૧)
નળ ! નળ ! એવું ચિંતવન કરતાં તેને જળ, સ્થળ, છાયા કે આતપમાં લેશમાત્ર પણ સુખ ઉત્પન્ન ન થયું. (૧૯૨)
પછી પોતે જ પોતાને ધીરજ આપતાં વસ્ત્રના છેડાથી મુખને સાફ કરવા લાગી, એવામાં તેના પર લખેલા અક્ષરો જોયા અને હર્ષિત થઈ છતી વાંચવા લાગી. (૧૯૩)
વાંચીને તેણે વિચાર કર્યો કે, “અહો ! ખરેખર હજી હું સ્વામિના મનરૂપ ગગનાંગણમાં ચંદ્રિકારૂપ છું. નહિતર તેમનો