________________
श्री मल्लिनाथ चरित्र
७७८
देहलो निगडैर्गाढमाक्रमितुमनीश्वरी । तत्रैवास्थाद् दृढभक्तिर्जिननाथमुवाच च ॥ ११०३ ||
પત્તે ત્તિ ભાષા, માવન્ ! મવતાર ! I गृह्यतां सूपकोणेन, ममानुग्रहकाम्यया ||११०४ || द्रव्यक्षेत्रादिसम्पूर्णं, विज्ञायाऽभिग्रहं जिन: । करं कुल्माषभिक्षायै, ततः प्रासारयद् वरम् ॥ ११०५ ॥ धन्याऽस्मि कृतपुण्याऽस्मि, श्लाघ्याऽस्मि क्षमिणामपि । सुलब्धपात्रदानाऽस्मि, मनस्येवं विचिन्वती ॥ ११०६॥
પાંચમાસ પચ્ચીશ દિન, પ્રભુ ભિક્ષા માટે ફરતાં. ચંદનાના અડદના બાકુબે -અભિગ્રહ પૂરા થાતાં. અત્યંત ભક્તિથી ભગવંતને કહેવા લાગી કે (૧૧૦૩) “હે ભવતારક ભગવન્ ! જો આ અડદ આપને કલ્પે તો મારા પર અનુગ્રહ કરી આ સુપડાના ખુણામાંથી ગ્રહણ કરો.” (૧૧૦૪)
એટલે દ્રવ્ય, ક્ષેત્રાદિથી પોતાના અભિગ્રહને સંપૂર્ણ થયેલા સમજી ભગવંતે અડદની ભિક્ષા લેવા પોતાનો શ્રેષ્ઠહાથ પ્રસાર્યો. (૧૧૦૫)
(અન્યત્ર એવો ઉલ્લેખ છે કે નેત્રમાં આંસુ ન જોતાં અભિગ્રહ અધૂરો જાણી પ્રભુ પાછા વળ્યા. ચંદનાની આંખમાં આંસુ જોઈ પ્રભુ પાછા વલી હાથ પસાર્યો અને દાન લીધું.)
એટલે ચંદના ચિત્તમાં ચિંતવવા લાગી કે, “અહો ! હું ધન્ય અને કૃતપુણ્ય છું.વળી સુપાત્રે દાન આપતાં હું ક્ષમાવંત લોકોને પણ શ્લાધ્ય છું.” (૧૧૦૬)