________________
७४९
સત: સઃ ततस्तीर्थकरोपान्ते, तपस्तप्त्वा सुदुष्करम् । अन्तकृत्केवलीभूय, राजर्षिः प्राप निर्वृतिम् ॥९६८॥ तेन विद्याभृता नीता, तत्र सा वल्लभेशितुः । श्रुत्वा तीर्थकरप्रोक्तं, प्रव्रज्याऽथ शिवं ययौ ॥९६९।। अथ नत्वाऽवदत् कुम्भपृथ्वीशः प्राज्यविक्रमः । स्वामिन् ! पोषधदृष्टान्तो, जातः कर्णावतंसताम् ॥९७०॥ कृतार्थः शिखरसेनः, पौषधव्रततत्परः । येन प्राणात्ययेऽप्युच्चैः, पालितं पौषधव्रतम् ॥९७१।। इदानीं श्रोतुमिच्छामि, तुर्यं शिक्षाव्रतं प्रभो! । श्राद्धधर्मो भवेद् येन, समग्रोऽथाह तीर्थकृत् ॥९७२।।
ભગવંતની પાસે રહી દુષ્કર તપ તપી પ્રાંતે કેવળી થઈ તે જ ભવમાં મોક્ષે ગયા (૯૬૮)
પછી પેલો વિદ્યાધર પોતાનું કાર્ય પૂર્ણ થતાં રાણીને લઈ ત્યાં આવ્યો. એટલે પોતાના સ્વામીનો વૃત્તાંત સાંભળી તેણે પણ ભગવંત પાસે દીક્ષા લીધી તે રાણી પણ તે જ ભવે મોક્ષે ગઈ. (૯૬૯)
ઇતિ પૌષધવ્રત ઉપર શિખરસેન કથા આ પ્રમાણે સાંભળી પરાક્રમી કુંભરાજાએ કહ્યું કે, “હે ભગવન્! પૌષધવ્રત સંબંધી દષ્ટાંત મારા સાંભળવામાં આવ્યું. (૯૭૦)
એ શિખરસેન પૌષધવ્રતમાં સાવધાન રહી કૃતાર્થ થયો કે જેણે પ્રાણાતે પણ પૌષધવ્રતનું બરાબર પાલન કર્યું. (૯૭૧)
હે સ્વામિન્ ! હવે ચતુર્થ શિક્ષાવ્રત સાંભળવા ઇચ્છું છું કે