SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ સાઈ પુનમીઆ, સં. ૧૨૫૦માં આગમિક વગેરે પિટા ગચ્છ શરૂ થયા. આંચલ ગચ્છની પટ્ટાવલિ તપાસતાં સમજાય છે કે તપગચ્છની પટ્ટાવલિ પ્રમાણે શ્રી સર્વદેવસ્વામી આડત્રીશમાં પુરૂષ હતા અને આંચલગચ્છની પટ્ટાવલિ પ્રમાણે પાંત્રીશમા પુરૂષ હતા ત્યાં સુધી તે એકજ હતું પણ સર્વદેવસ્વામી પછી આંચલગચ્છમાં પદ્મદેવસ્વામી, ઉદયપ્રભસ્વામી, પ્રભાનંદ, સુગણચંદ્ર, ગુણસમુદ્ર. વિજયપ્રભનચંદ્ર. વીરચંદ્ર. મુનિ તિલક અને છેતાલીશમા જયસિંહસ્વામીનું નામ આવે છે. એમના શિષ્ય ઉપાધ્યાય વિજયચંદ્રસ્વામી ઉર્ફે આર્યરક્ષિતસ્વામીએ વિક્રમ સંવત ૧૧૬૦માં ચરંગચ્છની સ્થાપના કરી. આંચલગચ્છમાં આરક્ષિતસ્વામી. જયસિંહસ્વામી. ધર્મષસ્વામી. મહેંદ્રસીંડસ્વામી. સિંહપ્રભસ્વામી વગેરે થયા. ત્રેસઠમી વાટે ધર્મમૂર્તિ સ્વામી થયા એમણે વિકમ સંવત ૧૬૦થી ૧૯૭૦માં કિદ્ધાર કર્યો હતો. ચેસઠમી પાટે પાટે કલ્યાણ સાગર સૂરિ થયા, ત્યારથી “ઉપાધ્યાય શાખા શરૂ થઈ. આ શાખામાં રત્ન સાગર, મેઘ સાગર, વૃદ્ધ સાગર, હીર સાગર, સહજ સાગર, માન સાગર, રંગ સાગર, નેમ સાગર, ફતેહ સાગર, દેવ સાગર, સરૂપસાગર અને હાલમાં ગૌતમ સાગર વિદ્યમાન છે. ' - શ્રમણ ભગવાન મહાવીર પ્રભુની સેંતાલીશમી પાટે વડ ગચ્છના છેલલા આચાર્યશ્રી સોમપ્રભ સ્વામી થયા.
SR No.022688
Book TitleJain Shwetambar Sampradayno Itihas
Original Sutra AuthorN/A
AuthorGokuldas Nanjibhai Gandhi
PublisherGokuldas Nanjibhai Gandhi
Publication Year1941
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy