SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પર વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પિતાનો ભંડાર મંત્રીને સેંપી દેતાં કહ્યું. મંત્રીએ પરદેશથી અનેક શિલ્પીઓને લાવ્યા. અપાષાણુ, શશાંકપાષાણુ, ચમપાષાણુ, સ્ફટિપાષાણુ અને મણિરત્ન વડે કરીને એ શિલ્પીઓએ સ્વર્ણપુરાને થોડા સમયમાં બીજી અમરાવતી બનાવી દીધી. નગરીનાં દરેક નાનાંમોટાં મકાનો નવેસરથી કારીગરેએ સુવર્ણનાં બનાવી દઇ પૃથ્વી ઉપર સ્વર્ગપુરી ખડી કરી દીધી. રાજાને માટે પણ સાત ભૂમિકાવાળે સુવર્ણમય ઝરૂખાઓથી શેભત રમણીય મહેલ બનાવી દીધો. એ રીતે પિતાનું સ્વપ્ર સિદ્ધ થવાથી રાજા અત્યંત ખુશી થયે. એક દિવસે રાજા અરિમન પોતાની પ્રિયા સાથે ઝરૂખામાં ઉભે ઉભે પોતાની નવીન નગરીની શોભા જોવામાં મશગુલ હતે. સાવ સેનાની પોતાની સ્વર્ણપુરીને જોઈ રાજા મનમાં અભિમાન ધારણ કરતે બે , “પ્રિયે! જગતમાં આવું સુંદર અને રમણુય નગર કયાંય નથી ! ) જગતમાં સ્વાભાવિક એવો નિયમ છે કે પિતાની વસ્તુ કદાચ સારી કે અપૂર્વ જોવામાં આવે છે કે માણસનું મન તરત જ અભિમાન લે છે. કુવાને દેડકે શું નથી માનતે કે દુનિયા કુવા જેટલી જ છે? રાજાએ પણ પોતાની નગરી જોઈને સહેજે સહેજે અભિમાન કર્યું. રાજાના અભિમાનને સાંભળતું એક શુકયુમલ રાજમહેલના રમણીય તારણે બેઠેલું હતું, તેમાંથી શુકી બેલી; “તેં આવું રમણીય નગર પૃથ્વી ઉપર ક્યાંય જોયું છે? 2 શુકીની વાત સાંભળી શુક બેલ્યો, “હું ! આ નગર તે શું છે? આ તે માત્ર સુવર્ણનું સ્વણપુર બનેલું છે, પણ સારરત્નમય ભીતોથી બનેલું રત્નકેતુપુર કયાંય જગતમાં જવામાં કશું નથીગરી
SR No.022678
Book TitleVikram Charitra Yane Kautilya Vijay
Original Sutra AuthorN/A
AuthorShubhshil Gani
PublisherVidyanand Sahitya Prakashak Granthmala
Publication Year
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy