SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચરિત્ર પુત્રી છે, તેનું પાણિગ્રહણ કરીને મને અનૃણ-ત્રણ રહિત બનાવે.” ત્યારે વિશિષ્ઠમતિ આરામનંદને શેઠને કહ્યું કે મારા દેશમાં શેઠની પુત્રી પર છું, માટે બીજી સ્ત્રીની મારે જરૂર નથી, તે માનસિક ઉપાધિ વધારનાર છે. તમને મેં પિતા માન્યા છે, એટલે તમારી પુત્રીને મારી બહેન માનીશ.” એવામાં એકદા પરકાંઠે જવા માટે મેટા શ્રીમતના હાણે સજજ થયાં. ત્યારે આરામનંદને શેઠને કહ્યું કે હે તાત ! મારે યાનપાત્ર પર ચઢવાનું કૌતુક છે, તે મને કાંઈક દ્રવ્ય આપે, હું તમારે વણિકપુત્રજ છું, તેમાં લાભ થાય, તે પણ તમે લેજે, મારે તે કેવળ વિનોદ કરવાનું છે.” એટલે પ્રથમથી જ તેને ધન આપવાની શેઠની ઈચ્છા હતી, અને વિશેષથી તેણે માગણી કરતાં, શ્રેષ્ટીએ ભારે ઉદારતાથી તેને લક્ષ દ્રવ્ય આપ્યું. પછી ઘણું ધન આપી આરામનંદને વીહિ-ધાન્ય વિશેષ ખરીદ્યાં, તથા બહુ ખીર અને દુધ આપવાવાળી આઠ ભેંસ વેચાતી લીધી. વળી સાકર, કપૂરાદિક પ્રિય પદાર્થો અને ત્રીહિ પીસવાના આઠ યંત્ર, ઉખળ તથા મુશળ લીધાં. રાંધવા માટે તથા ભેજનમાં ઉપયોગી અન્ય ભાજન લીધાં, વળી દિવ્ય વસ્ત્રો અને ઘણુ શસ્ત્રો પણ લીધાં. પગારદાર નાકર તથા આઠ દાસી રાખી, એક પિતાની સેવા કરે તેવી વૃદ્ધા સ્ત્રી રાખી. સાત સઢનું એક યાનપાત્ર ભાડે લીધું. એમ વ્યય કરતાં તેણે લક્ષ ધન વાપરી નાખ્યું. પછી અન્ય મહેભ્યશ્રેણીઓનાં ન્હાણ ભાડે લઈ તેમાં મહા કીંમતી સુપ્રાપ્ય ચતુવિધ કરીયાણું ભર્યા, ત્યાં હસતા નગરજનેની દરકાર કર્યા વિના આરામનંદને ચાનપાત્રમાં ત્રીહિપ્રમુખ ભર્યા. કારણ કે –શમ બાહ્ય ક્રોધને શમાવે છે, પણ સજ્જનેનું અંતર તેજ બહુ દુર્ધર હેય છે. ઉષ્ણ તે શીતલ થાય, પણ હિમ શીતલ છતાં સમસ્ત જગતને બાળી નાખે છે. પછી સાગરની રજા લઈ, શુભ દિવસે અન્ય વણિક
SR No.022672
Book TitleChandraprabhu Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha
PublisherJain Atmanand Sabha
Publication Year1930
Total Pages420
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy